તેલમાં ઉકળાટ/ યુક્રેન-રશિયા યુધ્ધની અસર : ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ખાદ્યતેલ બજાર પર મોટી અસર પહોંચી છે. છેલ્લા 3 મહિનામાં ખાદ્યતેલના ભાવમાં 200થી લઈ 600 રૂપિયા સુધી ભાવવધારો જોવા મળ્યો છે.

Top Stories Business
Screenshot 2022 06 06 100218 2 11 યુક્રેન-રશિયા યુધ્ધની અસર : ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ખાદ્યતેલ બજાર પર મોટી અસર પહોંચી છે. છેલ્લા 3 મહિનામાં ખાદ્યતેલના ભાવમાં 200થી લઈ 600 રૂપિયા સુધી ભાવવધારો જોવા મળ્યો છે. યુદ્ધની શરૂઆતથી આજ સુધી પામતેલના ભાવમાં પણ ભાવવધારો જરૂર જોવા મળ્યો છે. એની સીધી અસર ફરસાણ ઉદ્યોગ અને નમકીન ઉદ્યોગ પર જોવા મળી રહી છે. યુદ્ધ બાદ સૌથી વધુ સનફ્લાવર તેલમાં રૂ.500થી 600નો અસહ્ય ભાવવધારો થયો છે. કપાસિયા તેલમાં 300થી 400 અને સીંગતેલમાં રૂ.400નો વધારો જોવા મળી રહ્યો છે. આજે ફરી સીંગતેલમાં રૂપિયા 400નો ભાવવધારો થતાં મધ્યમવર્ગીય પરિવારની હાલત ‘ખાયે તો ખાયે કયા? જેવી કફોડી થઈ છે. ખાદ્યતેલના ઊંચા ભાવને કારણે આજે મધ્યમવર્ગ મોટું 15 કિલોનું ટીન ખરીદવાના બદલે માત્ર 5 લિટરનું કેન લેવાનું પસંદ કરી રહ્યા છે.

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ખાદ્યતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એપ્રિલ મહિનામાં તમામ તેલના ભાવમાં ઘટાડો જરૂર જોવા મળ્યો હતો, આમ આજે ખાદ્યતેલના ભાવ 2800 સુધી પહોંચી ગયા છે, જે અત્યારસુધી ઊંચો ભાવ માનવામાં આવી રહ્યો છે. એને કારણે ખાદ્યતેલમાં વચ્ચે અછત જરૂર જોવા મળી હતી, પરંતુ ધીમે ધીમે અછત દૂર થઇ રહી છે. યુદ્ધ બાદ દરેક પ્રકારના તેલમાં 200થી 600 રૂપિયા સુધી ભાવવધારો જોવા મળ્યો છે. હાલના તબક્કે ખાદ્યતેલ એક્સપોર્ટ કરવામાં આવતું નથી, પરંતુ ઈમ્પોર્ટ કરવામાં આવી રહ્યું છે.

યુક્રેન સનફ્લાવર્ણું સૌથી મોટું ઉત્પાદક હતું. પરંતુ યુદ્ધના કારણે સનફ્લાવર તેલનું પૂરતા પ્રમાણમાં ઈમ્પોર્ટ થતું નથી. યુદ્ધ પછી લગભગ બે મહિના સુધી નહીંવત પ્રમાણમાં સનફ્લાવર તેલ ઈમ્પોર્ટ થતું હતું, એને કારણે આજે પણ સનફ્લાવર તેલનો ભાવ ઊંચો જોવા મળી રહ્યો છે. યુદ્ધ પછીના સમયમાં સનફ્લાવર તેલમાં 600 રૂપિયા જેટલો જંગી ભાવવધારો જોવા મળ્યો છે. મલેશિયાથી મોટા ભાગે પામોલીન તેલ આયાત કરવામાં આવે છે. પામોલીન કરતાં સીંગતેલના ભાવ ઓછા હોવાની ઘટના પ્રથમ વખત આ યુદ્ધના કારણે જોવા મળી હતી. આગામી સમયમાં હજુ પણ ખાદ્યતેલના ભાવમાં 50 રૂપિયા સુધી ભાવવધારો જોવા મળે એવી શક્યતા છે.

મોટા ભાગે લોકો ખાદ્યતેલમાં રિફાઈન્ડ તેલનો ઉપયોગ કરે છે, પરંતુ ભાવ સતત ઊંચા જાય છે. યુક્રેન-રશિયાની યુદ્ધની સ્થિતિમાં આયાતી તેલમાં ધરખમ વધારો થયો છે, જેને કારણે ઇન્ડસ્ટ્રિયલ વપરાશ નહીંવત પ્રમાણમાં થઇ રહ્યો છે અને ફરસાણ ઉદ્યોગ પર મોટી અસર જોવા મળી છે. ખાદ્યતેલનો વપરાશ પ્રમાણમાં યુદ્ધ પછી ઓછો થતો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, ખાદ્યતેલના ઊંચા ભાવને કારણે આજે મધ્યમવર્ગ મોટું 15 કિલોનું ટીન ખરીદવાના બદલે માત્ર 5 લિટરનું કેન લેવાનું પસંદ કરી રહ્યા છે.

જો કે નવાઈની વાત તો એ છે કે સીંગતેલના ભાવમાં ઉછાળો આવવા છ્તાય સીંગદાણાના ભાવ રૂ. 1700 આસપાસ જ જળવાયા છે. જ્યારે માત્ર તેલના ભાવમાં ઉછાળ જોવા મળે છે. સૌરાષ્ટ્રના મિલરોએ સપ્તાહમાં જ 300 કન્ટેઇનરો, એટલે કે આશરે 6000 ટન સીંગતેલ નિકાસ માટે રવાના કર્યું છે, જ્યારે યાર્ડમાં લાખો ગૂણી મગફળી ઠલવાતી હોય, 500થી વધુ તેલ મિલો ધમધમતી હોય ત્યારે આટલી નિકાસની અસર ઓછી થાય, પરંતુ હાલ ઓફ સીઝનમાં આ નિકાસથી ભાવ ઊંચાઈએ રહ્યા છે. મિલરોનો દાવો છે કે ચીન 2 ટકા સુધી FFA(ફ્રી ફેટ્ટી એસિડ) ધરાવતું તેલ પણ ખરીદી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે અડધા ટકા સુધીનું FFAવાળું તેલ હોય એ બે વર્ષ સુધી બગડતું નથી, આથી તેની સંગ્રહખોરી થતી હોય છે. ઉલ્લેખનીય છે કે સીંગતેલના ભાવમાં પણ શેરબજારના ભાવની જેમ ઓછો ઘટાડો અને વધુ વધારો એવી થતું રહે છે. ત્યારે ખેડૂતોને યાર્ડમાં મળતા મગફળીના ભાવ પહેલેથી જ રૂ. 1000થી 1300 પ્રતિ મણના અને સીંગદાણાના ભાવ રૂ.1700 આસપાસ જ જળવાયા છે, જેની સામે સીંગતેલના હાઈએસ્ટ ભાવ વર્ષ 2022માં જોવા મળી રહ્યા છે.