સાબરકાંઠા જીલ્લામાં એક દીવાલ પડવાની ઘટના સામે આવી છે, જે એક પરિવાર માટે દુઃખદાયી સાબિત થઇ છે. મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જીલ્લાના પરબડા પાસે આ દિવાલ પડવાની ઘટના બની છે. આ ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત થયું છે, જયારે અન્ય બેને ઈજા થવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેને લઈને પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો :અમરેલી સહિતના આ જિલ્લાઓમાં 11 દિવસ બાદ પણ વીજળી ગુલ, લોકો પારાવાર મુશ્કેલીમાં
આ દીવાલ પડવાની ઘટના માટે હિંમતનગરની આસપાસ ગઈરાત્રે પડેલો વરસાદ પણ કારણભૂત માનવામાં આવી રહ્યો છે. બીજી બાજુ આ વરસાદના કારણે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લગાવેલી સોલાર પ્લેટો પણ ઉડી ગઈ હતી અને હિંમતનગર-મહેસાણા રોડ પર પ્લેટો ઉડી હતી, જેથી તેને નુકસાન પહોંચ્યું છે.
આ પણ વાંચો : મહેસાણામાં છોકરાની પ્રાપ્તિ માટે સાસરિયાઓએ પુત્રવધુ પર ગુજાર્યો ત્રાસ, અંતે કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત
આ પણ વાંચો :બોગસ બિલીંગ કૌભાંડ અને 12.31 લાખનાં વિશ્વાસઘાતમાં સંડોવાયેલા આરોપીને પોલીસે દબોચ્યો
આ પણ વાંચો :સુશાંત સિંહ રાજપૂત કેસમાં NCBની મોટી કાર્યવાહી, એજન્સીએ સિદ્ધાર્થ પીઠાનીની કરી ધરપકડ