કોરોના/ રાજય માં છેલ્લા 24 કલાકમાં માત્ર 17 નવા કોરોના કેસ સામે આવ્યા

જો રસીકરણ  ની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 144 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 5416 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો

Top Stories Gujarat Others
Untitled 169 રાજય માં છેલ્લા 24 કલાકમાં માત્ર 17 નવા કોરોના કેસ સામે આવ્યા

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર ધીમે ધીમે ઘટી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં માત્ર 17 નવા કોરોના કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો  8,24,619પર પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ   પણ વ્યક્તિનું  મોત થયું નથી. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 28 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,14,858  છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 182  છે.

આ પણ વાંચો :ચીન અને પાકિસ્તાનની સરહદ પર નજર રાખશે અમદાવાદના કેમેરા

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે. જો કે રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત બનાવવામાં આવી છે.

આ પણ વાંચો :ઓલપાડમાં કરૂણ ઘટના, જર્જરીત મકાનની દિવાલ ધરાશાયી થતા 3 વર્ષની બાળકીનું મોત

જો રસીકરણ  ની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 144 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 5416 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 1,37,451 નાગરિકોને રસીનો પ્રથમ અને 73,656 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 3,97,908 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 19,214 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો.

આ પણ વાંચો :રાજયના આ બે શહેરો માં આ વખતે પણ તાજિયાના ઝુલુસ નહી નીકળે, ધાર્મિક સ્થાન પર જ વિધી કરાશે