લોકસભાની ચૂંટણી 2024માં યોજાવાની છે તેના માટે અત્યારથી વિપક્ષ પાર્ટીઓનું એકત્રીકરણ શરૂ થઈ ગયું છે. બુધવારે, જ્યારે મમતા બેનર્જી વિપક્ષી નેતાઓ સાથે બેઠક કરી હતી જયારે બીજી તરફ, એનસીપીના પ્રમુખ શરદ યાદવ અને સપાના વરિષ્ઠ નેતા રામ ગોપાલ યાદવે આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવ સાથે મુલાકાત કરી. આ દરમિયાન પૂર્વ મંત્રી અખિલેશ સિંહ પણ હાજર હતા. આ બેઠક લાલુની પુત્રી અને રાજ્યસભાના સાંસદ મીસા ભારતીના નિવાસ સ્થાને થઈ હતી.
ઘાસચારા કૌભાંડમાં જામીન મળ્યા બાદ લાલુ યાદવ ફરી એક વખત વિરોધી રાજકારણના સક્રીય ભૂમિકાના નેતા બન્યા છે. ઘણા મામલે વિપક્ષી નેતાઓ સાથે બેઠક અને ચર્ચા કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિપક્ષી નેતાઓ લાલુ યાદવને મળ્યા અને તેમની તબિયત વિશે પૂછપરછ કરી. આ સાથે દેશના રાજકારણની પણ ચર્ચા થઈ હતી.
એવું માનવામાં આવી રહ્યું છે કે ચર્ચાનો મુખ્ય મુદ્દો ચોમાસુ સત્રમાં મોદી સરકારને ઘેરવાની રણનીતિ હતો. આ નેતાઓ વચ્ચે કલાકો સુધી વાતચીત થઈ છે. આ દરમિયાન દેશના વર્તમાન રાજકીય માહોલ અને સંસદના વર્તમાન ચોમાસા સત્રના મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. મીસાએ આ બેઠકનો ફોટો ટ્વીટ કર્યો છે. આ મીસા ભારતીમાં શરદ પવાર, લાલુ યાદવ, રામ ગોપાલ યાદવ અને અખિલેશ સિંહ જોવા મળી રહ્યા છે.
અમીસાએ ફોટો ટવીટ કરીને લખ્યું છે કે આજે એનસીપીના પ્રમુખ શરદ પવાર, વરિષ્ઠ સમાજવાદી નેતા રામ ગોપાલ યાદવ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અખિલેશ સિંહ જીએ લાલુ યાદવને મળ્યા હતા ને સંસદના વર્તમાન રાજકીય માહોલ અને ચોમાસુ સત્રની ચર્ચા કરી હતી. પવાર સાથે રામ ગોપાલની હાજરીને કારણે યુપીની ચૂંટણીની રણનીતિ ઉપર પણ ચર્ચા થઈ રહી છે. એક દિવસ અગાઉ, એનસીપી સપા સાથે મળીને યુપીની ચૂંટણી લડવાની ચર્ચા થઈ હતી. જોકે રામ ગોપાલ યાદવ અને લાલુ યાદવ પણ એકબીજાના સંબંધીઓ છે.