સુરેન્દ્રનગર/ વઢવાણ માળોદ રોડ ઉપર આવેલી ટાઢી વડલી તરીકે ઓળખાતી જગ્યામાં ખનીજ ચોરી મામલે તપાસના આદેશ.

ખાણ ખનીજ વિભાગના મુખ્ય અધિકારીને જિલ્લા કલેકટરે રૂબરૂ બોલાવી અને આ મામલે તપાસના આદેશ આપ્યા

Gujarat
Untitled 315 2 વઢવાણ માળોદ રોડ ઉપર આવેલી ટાઢી વડલી તરીકે ઓળખાતી જગ્યામાં ખનીજ ચોરી મામલે તપાસના આદેશ.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બનતા જઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસો રેતી કપચી પથ્થર જેવા કુદરતી અખૂટ ભંડાર પેટાળમાંથી  મળી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બેફામ રીતે વગર રોયલ્ટી અથવા પરમિશન વગર બેફામ રીતે ખનીજ ચોરી ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવતી હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે તેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.

તેવા સંજોગોમાં સાયલા મૂડી થાન પંથકમાં વધુ પડતી અને ચોરી થતી હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે જેને લઇને સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ પણ જાણે કોર નિંદ્રામાં હોય અથવા ખનીજ માફિયાઓ ને ખાણ ખનીજ વિભાગ જ પ્રોત્સાહન કરતું હોય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે તેવા સમયે ગૌચર  જગ્યા સરકારી ખરાબા ઉપર બેફામ રીતે ખનીજ માફિયાઓ દ્વારા ખોદકામ કરી અને પૃથ્વી ના પેટાળ ને નુકસાન પહોંચાડી અને બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે.

તેવા સંજોગોમાં વઢવાણ પાસે આવેલી કરોડો રૂપિયાની જગ્યામાં ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી હતી ખાનગી જમીનમાં બેફામ રીતે ખનીજ માફિયાઓ દ્વારા રેતી અને ખનીજની ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદ જમીનના મૂળ માલિક દ્વારા સિટી પોલીસ સ્ટેશનમાં જિલ્લા કલેકટરને અને ખાણ ખનીજ વિભાગ માં નોંધાવવામાં આવી હતી પરંતુ ખાણ ખનીજ વિભાગ દ્વારા આ મામલે કોઇપણ જાતની તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હોવાની પ્રાથમિક તપાસમાં વિગત મળી રહી છે.

Untitled 315 વઢવાણ માળોદ રોડ ઉપર આવેલી ટાઢી વડલી તરીકે ઓળખાતી જગ્યામાં ખનીજ ચોરી મામલે તપાસના આદેશ.

તેવા સંજોગોમાં વઢવાણ માળોદ રોડ ઉપર આવેલી ખાનગી જગ્યાઓમાં 20 કરોડ રૂપિયાની ખનિજચોરી કરાઇ હોવાની ફરિયાદ થવા પામી હતી જેને લઇને ફરિયાદ બાદ પણ ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ અધિકારીઓ દ્વારા કોઈપણ બાબતની તપાસ કામગીરી આ મામલે કરવામાં ન આવતા જિલ્લા કલેક્ટરે ખાણ ખનીજ વિભાગના મુખ્ય અધિકારીને રૂબરૂ બોલાવ્યા હતા અને આ ખનિજ ચોરી મામલે કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે સરકારી ખરાબા ગૌચર જગ્યા બાદ હવે ખનીજ માફિયાઓ માલિકી ની જમીનમાં પણ પ્રવેશ મેળવી અને બેફામ રીતે ખનીજ ચોરી કરી રહ્યા છે.

ત્યારે આ મામલે જિલ્લા કલેક્ટર દ્વારા ખાણ ખનીજ વિભાગના મુખ્ય અધિકારીને આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જે ખનીજ ચોરો દ્વારા ખનીજની ચોરી કરવામાં આવી છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે અંગે જરૂરી સૂચના પણ આપવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગના રહેમ દ્રષ્ટિ હેઠળ જિલ્લા માં કરોડો રૂપિયાનો ખનીજ નો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની ચર્ચા છે ત્યારે જિલ્લા કલેક્ટરે આ મામલે તપાસના આદેશ આપતા ખનીજ વિભાગના અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ત્યારે આ મામલે સરકારી તિજોરી ઉપર પણ સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગના મુખ્ય અધિકારીઓ કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યા હોવાની ચર્ચા પણ છે ત્યારે વઢવાણ માળોદ રોડ ઉપર આવેલી ખાનગી જગ્યામાં ખનીજ ચોરીના મામલે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપી કાર્યવાહી કરવા જરૂરી સુચના આપવામાં આવી છે.