Breaking News: આતંકવાદી હુમલાઓ પાકિસ્તાનને (Pakistan) એક પછી એક આંચકા આપી રહ્યા છે. બલૂચિસ્તાનમાં ( Balochistan) વધુ એક આતંકવાદી (Terrorist) હુમલો થયો ત્યારે પાકિસ્તાન ટ્રેન અપહરણના આઘાતમાંથી હજુ સંપૂર્ણ રીતે બહાર આવ્યું ન હતું.
બલૂચિસ્તાનના નોશ્કીમાં થયેલા હુમલામાં 12 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને 26 ઘાયલ થયા. નોશકી વિસ્તાર અફઘાનિસ્તાનની સરહદની નજીક છે. બલૂચિસ્તાનના નોશ્કીમાં N-40 હાઈવે પર ફ્રન્ટિયર કોર્પ્સ (FC)ની બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રથમ હુમલો વિસ્ફોટ સાથે કરવામાં આવ્યો હતો. સૈનિકો શાંત થાય તે પહેલા તેમના પર ગોળીબાર શરૂ થયો.
બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી લીધી છે. BLAનો દાવો છે કે તેના હુમલામાં 90 સૈનિકો માર્યા ગયા છે. BLAએ કહ્યું કે તેની આત્મઘાતી વિંગ મજીદ બ્રિગેડે પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવ્યું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાફલામાં 8 બસો હતી, જેમાંથી એક વિસ્ફોટથી સંપૂર્ણપણે નાશ પામી હતી. BLAએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે, ‘બોમ્બ વિસ્ફોટ બાદ અમારા લડવૈયાઓએ બાકીની બસોને ઘેરી લીધી અને બસોમાં હાજર તમામ સૈનિકોને મારી નાખ્યા. માર્યા ગયેલા દુશ્મનોની સંખ્યા 90 છે.
હુમલા બાદ પાકિસ્તાની સેનાના હેલિકોપ્ટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. એમ્બ્યુલન્સ સતત FC હેડક્વાર્ટર તરફ જઈ રહી છે. આ પહેલા શનિવારે બલૂચિસ્તાનના તુર્બતમાં બ્લાસ્ટ જોવા મળ્યો હતો. ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) રૂટ પર પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવવામાં આવ્યું હતું. કેટલું નુકસાન થયું તેની માહિતી બહાર આવી નથી. આના એક દિવસ પહેલા હરનાઈમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડના સભ્યોને નિશાન બનાવીને બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:પાકિસ્તાની સેનાએ 16 BLA લડવૈયાઓને માર્યા; 100 મુસાફરોને બચાવ્યા; બચાવ કામગીરી ચાલુ છે