કોરોનાના કહેર વચ્ચે ગત માર્ચ મહિનાથી વિદ્યાર્થીઓ વિના સુના પડેલા શાળા સંકુલમાં આગામી 11 જાન્યુઆરીએ ધો.10-12નાં વર્ગો શરૂ કરવા અગે આજ રોજ મળેલી કેબીનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયનો વાલીઓએ વિરોધ છે.
અને વાળી મંડળના પ્રતિનિધીએ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સી.આર.પાટીલને આ અંગે રજૂઆત કરી છે. ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસો.એ ભાજપ પ્રદેશ પ્રમુખ સી અર પાટીલને મળીને આ અંગે રજૂઆત કરી છે. ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસો, ગુજરાત ના પ્રમુખ કમલ રાવલ એ જણાવ્યું છે કે, વેક્સીનના સફળ પરીક્ષણ બાદ જ સ્કૂલ ખોલવા રજૂઆત કરી છે.
નોધનીય છે કે આજ રોજ ગાંધીનગરમાં કેબિનેટની બેઠકમાં શાળા ખોલવા અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી 11 જાન્યુઆરીથી ધો.10-12નાં વર્ગો શરૂ કરાશે. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ જાહેરાત કરી છે. PG, UG, છેલ્લાં વર્ષનું શિક્ષણકાર્ય પણ શરૂ કરાશે. ગુજરાત રાજ્યનાં તમામ બોર્ડને આ નિયમ લાગૂ પડશે. અને આ અંગે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે.
કેન્દ્ર સરકાર ની sop નો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. બધી સંસ્થાઓ ને sop મોકલી આપી છે. સંચાલકો અને અધિકારીઓ એ શાળામાં થર્મલ ગન, સેનેટાઈઝ કરવાનું રહેશે. બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવાનું રહેશે. આ બધામાં સૌથી મહત્વ પૂર્ણ માતા પિતા અને વાલીઓની મંજૂરી મેળવવાની રહેશે. ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓ શાળા એ આવે ત્યારે માસ્ક ફરજીયાત રહેશે. આ તમામ નિયમોનું ચુસ્ત પાલન કરાવવાની જવાબદારી સંચાલકો, આચાર્ય વગેરે ની રહેશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…