ભારતની સંસદીય પ્રણાલી પ્રમાણે સંસદનું શિયાળુ સત્ર એટલે બજેટ સત્ર અને જ્યારે કોરોનાનાં કપરાકાળમાં દેશભરની સંસ્થાગત પ્રણાલી છીનભીન છે, ત્યારે સંસદનું આગામી સત્ર મળશે કે કેમ તેવો સવાલ પણ અનેક જગ્યાએથી ઉઠી રહ્યો છે. સંસદમાં લોકોનાં પ્રશ્નની ચર્ચા યોજાશે કે કેમ તે પ્રશ્નાર્થ વચ્ચે સંસદનાં આગામી સત્રીની અનુમાનીત તરીખો સામે આવી રહી છે.
corona vaccine / કોરોનાની પ્રથમ વેક્સીન 13 જાન્યુઆરીએ અપાઈ શકે છે : કેન્દ્રીય…
તમામ અટકળોનો અંત લાવતા સંસદનું બજેટ સત્ર બે તબક્કામાં આયોજીત થઇ શકે છે તેવી વિગતો સામે આવી રહી છે. આગામી 29 જાન્યુઆરીથી 8 એપ્રિલ વચ્ચે સંસદનાં બજેટ સત્રનાં બન્ને તબક્કા યોજાઇ શકે છે. 29 જાન્યુઆરીથી બજેટ સત્રનાં પ્રારંભની શક્યતા જોવામાં આવી રહી છે.
Maharastra / CM ઉદ્ધવ ઠાકરેના સંબોધનને લઇને ગુજરાતીઓમાં ભારે ઉત્સાહ, R…
ઉલ્લેખનીય છે કે, આ મામલે અને તારીખોને લઇને સંસદનું બજેટ સત્ર યોજવા મામલે સંસદીય મામલાની મંત્રીમંડળ સમિતિએ ભલામણ કરી હોવાની વિગતો સામે આવી રહી છે. જો કે, આ ભલામણનાં આધારે બજેટ સત્ર પર નિર્ણય કરાશે. આપને જણાવી દઇએ કે કરવામાં આવેલી ભલામણમાં આગામી માસ એટલે કે, 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થઈ શકે છે તેવી સંભવીત તારીખ પણ સામે આવી રહી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…