ભરૂચની કોમી એકતામાં પલિતો ચંપાયો હોવાની ઘટના સામે આવી છે. અહીંની યુનિયન સ્કુલ નજીક આવેલી સલ્લેઅલાહ બાવા મસ્જીદ પાસે પાણીની પાઇપ લાઇન તુટી જવાનાં મુદ્દે બે કોમ સામે સામે આવી ગઇ હતી. અને નજીવી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઉશકેરાયેલા લોકોએ પત્થર મારો કર્યો હતો.
પાણીની પાઇપ ટૂંટવા જેવી બાબતે ફેલાયેલી ઉશ્કેરણી અને બનેં કોમો દ્રારા સામ-સામે પથ્થર મારા ચલાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં તંગદીલી ફેલાઇ હતી હતો. પથ્થરમારામાં બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તો કોમી તોફાન જેવા માહોલમાં તોફાનીઓ દ્રારા ,એક વાહનને નુકશાન પહોંચાડવામાં આવ્યું હોવાની મહિતી પ્રપ્ત થઇ રહી છે.
જો કે ઘટના અને પથ્થમારાની જાણ થયાની સાથે જ ભરૂચ એ-ડીવિઝન પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ પરિસ્થીતી ઉપર કાબુ મેળવ્યો હતો. પોલીસ દ્રારા કાયદો હાથમાં લઇ શાંતી ડહોળવાનો પ્રયાસ કરનાર ઇસમો સામે કડક હાથે કામલેવામાં આવતાની સાથે ફરી કોયદો વ્યવસ્થા પ્રસ્થાપિત કરવામાં આવી છે. પરંતુ બે કોમ સામે સામે આવી જતા હાલ પણ શહેરમાં ભારેલ અગ્ની જેવી સ્થિતિ જોવા મળી રહી છે.