પાટણ,
પાટણના ચાણસ્મામાં 22 ગામના ખેડૂતો છેલ્લા પંદર દિવસથી સિંચાઈ માટેના પાણીને લઇને આંદોલન કરી રહ્યા છે. ત્યારે અત્યાર સુધી અનેક વિઘ કાર્યકમો કર્યા છતાં પરંતુ આ વિસ્તારના ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી મળ્યું નથી.
આ વિસ્તાર ના ખેડૂતોને ખોરસમ કેનાલમાં પાણી નહિ આપવામાં આવે તો આગામી દિવસોમાં પણ વિવિધ કાર્યકમો થકી સરકાર સામે લડત લડવામાં આવશે અને બધા માં ગામે ગામ જઇ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્યોના રાજીનામાં આપવાના કાર્યકમો પણ કરવામાં આવશે.