પાટણ,
હાલ ગુજરાતમાં પાણીની અછત સર્જાઈ છે, તો એક બાજુ પાણી બચતની વાતો થઈ રહી છે. તો બીજી બાજુ પીવા લાયક પાણી લીકેજના કારણે વહી રહ્યું છે, ત્યારે પાટણના નર્મદા માઇનોર કેનાલમાં ગાબડુ પડ્યુ હતુ. રાધનપુરના ગુલાબપુરા ગામે ગાબડું પડ્યુ. ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યુ હતુ. ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી. કેનાલના બાંધકામમાં ભ્રષ્ટાચારનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.