પાટણ સ્થાપના દિન/ ઐતિહાસિક નગરી પાટણનો આજે 1,277મો સ્થાપના દિવસ

પાટણ શહેરનો આજે પોતાનો 1277 મો સ્થાપના દિન ઉજવશે. મહાવદ સાતમના દિવસે પાટણની સ્થાપના કરાઈ હતી. વીર રાજા વનરાજસિંહ ચાવડાએ પાટણની સ્થાપના કરી હતી. પાટણ નગરપાલિકા તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઉજવામાં સ્થાપના દિન ઉજવવામા આવશે.

Top Stories India
Patan Sthapana din ઐતિહાસિક નગરી પાટણનો આજે 1,277મો સ્થાપના દિવસ
  • સ્થાપના દિન નિમિત્તે રાજપૂત સમાજના યુવાનો દ્વારા તલવાર રાસ યોજાશે
  • પાટણના સ્થાપના દિને ગુજરાતના અનેક સ્ટેટના રાજવીઓ પાટણમાં હાજરી આપશે
  • વીર વનરાજ ચાવડાએ વિક્રમ સંવત 802ના મહાવદ સાતમના રોજ મિત્ર અણહિલ ભરવાડના નામથી અણહિલપુર પાટણની સ્થાપના કરી 

Patan Sthapana Din પાટણ શહેરનો આજે પોતાનો 1277 મો સ્થાપના દિન ઉજવશે. મહાવદ સાતમના દિવસે પાટણની સ્થાપના કરાઈ હતી. વીર રાજા વનરાજસિંહ ચાવડાએ પાટણની સ્થાપના કરી હતી.  Patan Sthapana Din પાટણ નગરપાલિકા તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઉજવામાં સ્થાપના દિન ઉજવવામા આવશે. પાટણ સ્થાપના દિન નિમિત્તે પાલિકા સહિત રાજપૂત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. સ્થાપના દિન નિમિત્તે રાજપૂત સમાજના 800 જેટલા યુવાનો દ્વારા તલવાર રાસ યોજાશે. પાટણ સ્થાપના દિનને લઈ અનેક સ્ટેટના રાજવીઓ પાટણમાં હાજરી આપશે.

પાટણનો ઇતિહાસ

ઐતિહાસિક નગરી પાટણની સ્થાપના વીર વનરાજ ચાવડા એ Patan Sthapana Din  વિક્રમ સંવત 802ના મહાવદ સાતમ ના રોજ તેઓના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી અણહિલપુર પાટણ નામ આપી નગરની રચના કરી હતી અને ત્યાર બાદ આ ઐતિહાસિક નગરીએ અનેક રાજવીઓના શાસનકાળ દરમિયાન ચઢાવ ઉતાર જોયા હતા. જેમાં વિક્રમ સંવત 802 થી વિક્રમ સંવત 998 એમ 196 વર્ષ સુધી ચાવડા વંશજોએ રાજ કર્યું હતું. જેમાં અણહીલ, ખેમજ, ભુવડ જેવા વંશે થઇ ગયા, જે બૃહદ ગુજરાત તરીકે ઓળખાતું હતું.

ચાવડા પછી સોલંકી વંશના શાસકો

ત્યારબાદ સોલંકી વંશમાં મૂળરાજસિંહ સોલંકી, ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ Patan Sthapana Din જેવા સમર્થ રાજાઓ થઇ ગયા. જેમને તેમના સમયગાળામાં અનેક સ્થાપત્યો બંધાવ્યા હતા. જેને આજનો વર્તમાન યુગ સોલંકી શાસનનો સુર્વણ યુગ ગણે છે, તે વિસરાતો પૈકી અનેક પ્રાચીન સ્મારકો અને મંદિરો આજે પણ અડીખમ ઉભા છે. જેમાં તે સમય દરમિયાન ભીમદેવ પહેલાના મૃત્યુ બાદ તેઓની યાદમાં પત્ની રાણી ઉદયમતીએ રાણીની વાવ બંધાવી હતી. જેમાં સાત માળની વાવ 64 મીટર લંબાઈ, 20 મીટર પહોળાઈ અને 27 મીટર ઊંડાઈની બનાવવામાં આવી છે. જે વાવમાં રેતિયા પથ્થર પર કોતરણી કરી બેનમુન કલાકૃતિ તેમજ થાંભલાઓથી સજ્જ અકલ્પનીય વાવ બનાવવામાં આવી હતી. જે આજે વિશ્વ વિરાસતમાં સ્થાન પામી છે. ત્યારે આવા પ્રાચીન ઇતિહાસ ધરાવતા પાટણનો આજે સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવશે.

પાટણમાં ઇજિપ્તના રાજાનો ખજાનો હોવાની વાત

પાટણના જૂના બાદીપુર ગામની સીમામાં ઇજિપ્તના રાજાએ પોતાનો ખજાનો Patan Sthapana Din ભૂગર્ભમાં દાટ્યો હોવાનો દાવો થઇ રહ્યો છે. ભેમોસણ ગામના રહેવાસી અને પાટણના વેપારી સોવનજી જીવણજી ઠાકોર અને નટુજી ઠાકોરના અનુસાર તેમના માયા પરિવારના પૂર્વજો ઇજીપ્તમાં રહેતા હતા. ત્યાંના રાજવીઓનાં ખજાનાનું રક્ષણ કરતા હતા. જ્યારે ઇજિપ્ત શાસન તબક્કાવાર નાશ પામવા લાગ્યું ત્યારે રાજાએ માયા રક્ષકોને ખજાનો અને તેની ચાવી સોંપી દીધી હતી. જે ખજાનો જુના બાદીપુરની જગ્યામાં તેમની જમીનમાં ભૂગર્ભમાં સંતાડેલા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. આ ઉપરાંત આ ખજાનાની ચાવી તેમની પાસે હોવાનો દાવો પણ ઠાકોર પરિવાર કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ

પુલવામા હુમલો/ હું મારા હૃદયમાં તે જ આગ અનુભવું છું જે દરેક ભારતીયના હૃદયમાં છે’-મોદી

ભારતમાલા પ્રોજેક્ટ/ અમદાવાદ-થરાદ એક્સપ્રેસવેઃ દિયોદરમાં વળતર નક્કી કર્યા વગર સરવે શરૂ કરાતા ખેડૂતો વીફર્યા

અમદાવાદ/ અમદાવાદમાં હાથીપગા રોગનો પગપેસારો, જાણો ક્યાં વિસ્તારમાં મળ્યા કેસ