રાજકોટ/ કોરોનાના કારણે ધંધામાં નુકસાનીથતા દેણુ વધી જતા પટેલ કારખાનેદારનો આજીડેમમાં ઝંપલાવી આપઘાત

કારખાનેદાર યુવાને રાત્રે બે મિત્રો અને મામાને ફોન કર્યા બાદ પરિવારજનોએ અજુગતુ બન્યાની શંકા જતા હીરેનની શોધખોળ શરૂ કરી હતી

Gujarat
Untitled 309 કોરોનાના કારણે ધંધામાં નુકસાનીથતા દેણુ વધી જતા પટેલ કારખાનેદારનો આજીડેમમાં ઝંપલાવી આપઘાત

 

કોરોના કાળના દોઢ વર્ષમાં ધંધા રોજગારને સૌથી વધુ માઠી અસર પહોચી છે. ત્યારે ગોંડલ રોડ ચોકડી પાસે કારખાનું ધરાવતા પટેલ યુવાનને કોરોના કાળમાં કારખાનાના ધંધામાં નુકશાની જતા અને દેણુ વધી જતા જીંદગીથી કંટાળી ગતમોડીરાત્રે બે મિત્રો સાથે કોન્ફરન્સમાં વાતચીત કર્યા બાદ આજીડેમમાં પડતુ મુકી આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર રોડ મહીકાના પાટીયા પાસે પ્રેમદ્વાર નજીક આજીડેમમાં આજે સવારે એક લાશ તરતી હોવાનું અને આજીડેમના કાંઠે એકટીવા પડયું હોવાની ફાયર બ્રિગેડ અને આજીડેમ પોલીસ મથકે જાણ થતા કાફલો ઘટના સ્થળે દોડીજઈ ફાયર બ્રિગેડ દ્વારા યુવાનની લાશ બહાર કાઢી પોલીસના હવાલે કરી હતી.

પોલીસની તપાસમાં મૃતક યુવાન કોઠારીયા રોડ નંદા હોલ પાછળ મીતાક્ષી સોસાયટીમાં રહેતા હીરેન ગોરધનભાઈ કાકડીયા ઉ.32 નામના પટેલ યુવાનનો હોવાનું અને યુવાન ગોંડલ રોડ ચોકડી પાસે કારખાનું ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે.

કારખાનેદાર યુવાને રાત્રે બે મિત્રો અને મામાને ફોન કર્યા બાદ પરિવારજનોએ અજુગતુ બન્યાની શંકા જતા હીરેનની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેની કોઈ ભાળ નહી મળતા રાત્રે ભકિતનગર પોલીસ સ્ટેશનમાં હીરેન ગુમ થયાની જાણ પણ કરી હતી.

પોલીસની તપાસમાં હીરેન કાકડીયા અપરણીત હોવાનું અને ગોંડલ રોડ ચોકડી પાસે કારખાનું ધરાવતો હોય કોરોના કાળમાં ધંધાને સૌથી વધુ માઠી અસર પહોચી હતી. જેના કારણે હીરેન પટેલ પર દેણુ વધી ગયું હતુ. જેમાંથી બહાર નહી નીકળી શકતા અંતીમ પગલુ ભરી લીધું હતુ.