ક્રિકેટ/ PCBએ પાકિસ્તાનના નવા કેપ્ટનની કરી જાહેરાત,ટી-20 અને ટેસ્ટ માટે કરાઇ જાહેરાત,આ ખેલાડીઓને મળી કેપ્ટનશીપ

વર્લ્ડ કપમાં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ બાબર આઝમે સુકાની પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

Top Stories Sports
3 5 PCBએ પાકિસ્તાનના નવા કેપ્ટનની કરી જાહેરાત,ટી-20 અને ટેસ્ટ માટે કરાઇ જાહેરાત,આ ખેલાડીઓને મળી કેપ્ટનશીપ

વર્લ્ડ કપમાં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ બાબર આઝમે સુકાની પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે પીસીબીએ શાહીન શાહ આફ્રિદીને ટી-20નો કેપ્ટન અને શાન મસૂદને ટેસ્ટ ફોર્મેટનો કેપ્ટન બનાવ્યો છે. જોકે, વનડે ફોર્મેટ માટે હજુ સુધી કોઈ કેપ્ટનની નિમણૂક કરવામાં આવી નથી. પાકિસ્તાન ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ 2023માં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. તેની ટીમે પ્રથમ બે મેચ જીતી હતી અને ત્યારબાદ સતત 4 મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

પાકિસ્તાન ક્રિકેટ ટીમને નવો કેપ્ટન મળ્યો છે વર્લ્ડ કપના લીગ તબક્કામાં પાકિસ્તાનની ટીમે તેની કુલ 9 મેચમાંથી 4માં જીત મેળવી હતી અને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે પાકિસ્તાન વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી શક્યું ન હતું. પાકિસ્તાનના આ ખરાબ પ્રદર્શન બાદ પીસીબીએ પાકિસ્તાન ક્રિકેટમાં ઘણા ફેરફાર કર્યા છે. બાબર આઝમે સુકાની પદેથી રાજીનામું આપી દીધું હતું અને ત્યાર બાદ પીસીબીએ બંને ફોર્મેટ માટે નવા કેપ્ટનના નામની જાહેરાત પણ કરી હતી. હવે પાકિસ્તાન ક્રિકેટ ટી20 ટીમનો કેપ્ટન યુવા ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી હશે. , PCBએ શાન મસૂદને ટેસ્ટ ફોર્મેટ માટે તેના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.