LIVE/ પીએમ મોદીએ કર્યું નવનિર્મિત સરદારધામનું ઈ – લોકાર્પણ અને ફેઝ 2નું ખાતમૂહર્ત

પીએમ મોદી અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા સરદારધામનું  ઈ-લોકાર્પણ કરી રહ્યા છે.  પીએમ મોદી આ કાર્યક્રમમાં  વીડિયો કોન્ફરન્સથી સરદારધામ…

Ahmedabad Top Stories Gujarat
પીએમ મોદી

આજે (શનિવાર) પીએમ મોદી અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા સરદારધામ નું  ઈ-લોકાર્પણ કરી રહ્યા છે.  પીએમ મોદી આ કાર્યક્રમમાં  વીડિયો કોન્ફરન્સથી સરદારધામ નું ઈ – લોકાર્પણ કર્યું છે. અહીં પાટીદાર સમાજ દ્વારા સરદારધામ ભવન, કન્યા છાત્રાલય બનાવવામાં આવી રહ્યું છે, જેનું પીએમ મોદી આજે ભૂમિપૂજન પણ કરવાના આવ્યું છે. આ કાર્યક્રમમાં જોડાવવા માટે રાજ્યનાં સીએમ વિજય રૂપાણી ત્યાં આવી પહોંચ્યા છે. સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો :ઇસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહન ચાલકની ટક્કરે મહિલાનું મોત

પીએમ મોદીએ ‘કેમ છો બધા, વરસાદ-પાણી કેમ છે…’ પૂછીને સંબોધન શરૂ કર્યુ હતું. તેમણે કહ્યું કે, આજે સમગ્ર દેશ ગણેશ ઉત્સવ ઉજવી રહ્યો છે. તમને બધાને આ ઉત્સવના અભિનંદન. આજે ઋષિપંચમી પણ છે. ભારત ઋષિ પરંપરાનો દેશ છે. તેમનાથી આપણી ઓળખ થઈ છે. આપણે તે વારસાને આગળ ધપાવીએ.

આજે મારા તરફથી તમામ નાગરિકોને મિચ્છામી દુક્કડમ. સરદાર પટેલના ચરણોમાં વંદન, સરદારધામના ટ્રસ્ટીઓને અભિનંદન. તેમના પ્રયાસોથી સરદાર ધામ આકાર પામ્યું અને ફેઝ ટુ નો પાયો નંખાયો. સરદારધામ અનેક યુવાઓને સશક્ત કરશે. પાટીદાર સમાજના યુવકો સાથે ગરીબ અને મહિલાઓના સશક્તિકરણ પર તમે ભાર મૂક્યો તે સરાહનીય છે. સરદાર ધામ આવનારી પેઢીને સરદાર સાહેબના જીવનના આદર્શ પર જીવવા પ્રેરણા આપશે.

આ પણ વાંચો :ર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય આગામી પાંચ દિવસમાં સારા વરસાદની આગાહી

પીએમ મોદી એ એક જાહેરાત કરતા જણાવ્યું કે, આજે હું આ પ્રસંગે એક મહત્વની જાહેરાત પણ કરી રહ્યો છું. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સુબ્રમણ્ય ભારતી જીના નામે ચેર સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BHUની ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં તમિલ સ્ટડીઝ પર સુબ્રમણ્ય ભારતી ચેર સ્થાપવામાં આવશે.

7 લાખ 19 હજાર સ્કેવર ફીટમાં સરદાર ધામ આકાર પામ્યું છે. જેમાં GPSC અને UPSC કેન્દ્ર ઉપરાંત ડિફેન્સ જ્યુડિશરી, રાજનીતિ તેમજ મીડિયા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 900 વિદ્યાર્થીઓની ક્ષમતાની ઈ-લાઈબ્રેરી બનાવવામાં આવી છે. તથા 50 રૂમ વિશ્રામગૃહ માટે અનામત રાખવામાં આવ્યા છે. સરદાર ધામમાં 1600 દીકરીઓ માટે રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, તેમજ 1 હજાર વ્યક્તિની ક્ષમતાના 2 હોલ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરત, ઉંઝા, બરોડા અને ભાવનગરની સમાજની સંસ્થાઓ સાથે MOU કરીને UPSC અને GPSC તાલિમ કેન્દ્રો સરદાર ધામમાં શરૂ કરવામાં આવ્યા છે. આ તાલિમ કેન્દ્રનો 50% ખર્ચ જે-તે સંસ્થા દ્વારા તેમજ 50% ખર્ચ સરદારધામ દ્વારા આપવામાં આવે છે. આ તાલિમ કેન્દ્રના પારદર્શક વહિવટ માટે સરકારમાંથી નિવૃત થયેલા સફળ અને યોગ્ય દિશા સૂચન કરી શકે તેવા IAS અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. એક સામાન્ય પરિવારનો દીકરો કે દીકરી સ્પર્ધાત્મક પરિક્ષાની પ્રિલીમ પરીક્ષાથી લઈને છેક ઈન્ટર્વ્યૂ સુધી તાલીમ અને માર્ગદર્શન વિનામુલ્યે મેળવી શકે તે પ્રકારે અહીં સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ૨૦૦ કરોડના ખર્ચે ‘સરદારધામ’ કન્યા છાત્રાલય નું વડાપ્રધાનના હસ્તે કાલે ઈ-ખાતમુહૂર્ત થશે

વૈષ્ણોદેવી સર્કલ પાસેના એસપી રીંગ રોડ પર પાટીદાર સમાજ દ્વારા અંદાજીત 200 કરોડના ખર્ચે 11,670 સ્ક્વેર મીટરના પ્લોટમાં આશરે 7 લાખ સ્ક્વેર ફૂટના બાંધકામ સાથે સરદારધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે સરદારધામ ફેઝ-2 અંતર્ગત 200 કરોડના ખર્ચે 2500 દીકરીઓ માટે કન્યા છાત્રાલય અને સરદાર ભવન બનાવવામાં આવશે. ‘સરદારધામ ભવન’ શૈક્ષણિક અને સામાજિક પરિવર્તન, સમાજના નબળા વર્ગના ઉત્થાન અને યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા તરફ કામ કરી રહ્યું છે.

આ પણ વાંચો :રાજકોટમાં ગણેશ ઉત્સવનું ભાજપ આગેવાનોએ વાજતે-ગાજતે કર્યુ આયોજન