ભાજપ સંગઠનમાં ફેરફાર અને કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (6 જુલાઈ) પાર્ટીના નેતાઓ સાથે તેમના નિવાસસ્થાને બેઠક યોજી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા. જો કે, નડ્ડા થોડા સમય પછી બીજા કાર્યક્રમમાં હાજરી આપવા માટે નીકળી ગયા હતા. આ પછી અમિત શાહ અને પીએમ મોદીની મુલાકાત લગભગ બે કલાક સુધી ચાલી હતી.
છેલ્લા ઘણા દિવસોથી ભાજપના ટોચના નેતાઓ સતત બેઠકો કરી રહ્યા છે. શાહ, નડ્ડા અને પાર્ટીના મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષે તાજેતરમાં અનેક રાઉન્ડની બેઠકો યોજી હતી. માનવામાં આવે છે કે ત્રણેય નેતાઓએ આ વર્ષના અંતમાં યોજાનારી તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપી સંગઠનમાં ફેરફાર અંગે ચર્ચા કરી હતી.આ સાથે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શાહ, નડ્ડા અને બીએલ સંતોષ વચ્ચે કેબિનેટ ફેરબદલને લઈને વાતચીત થઈ હતી. આ પછી, ત્રણેય નેતાઓએ 28 જૂને પણ પીએમ મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. ત્યારબાદ પીએમ મોદીએ 3 જુલાઈએ કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ ટૂંક સમયમાં વધુ છ રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરશે. આ રાજ્યો કર્ણાટક, ગુજરાત, કેરળ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને જમ્મુ કાશ્મીર છે