- આનંદનગર શેલના પેટ્રોલપંપ પર આરોપ
- પેટ્રોલપંપ પર ઓછું પેટ્રોલ અપાતુ હોવાનો આરોપ
- કર્મચારીઓ અને વાહનચાલક વચ્ચે થઇ બોલાચાલી
અમદાવાદના એક પેટ્રોલ પંપમાં બબાલ થતા પરિસ્થિતિ વણસી હતી,પ્રાપ્ત માહિતી અનુસાર આનંદનગર પાસે સ્થિત શેલ પેટ્રોલ પર વાહનચાલક અને કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી આ મામલો વધુ પેચીદો બનતા પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી.કર્મચારીએ પેટ્રોલ ભરવાની બાબતે ગ્રાહકને તકરાર થતાં મામલો વધુ પેચીદો બન્યો હતો અને આ મામલે ભારે હોબાળો મચ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આનંદનગર રોડ પર આવેલા શેલના પેટ્રોલ પંપ પર કર્માચારી અને વાહન ચાલક વચ્ચે પેટ્રોલ ઓછું ભરવાના મામલે ઉગ્ર બોલાચાલી થઇ હતી આ મામલે પરિસ્થિતિ વધુ વણસી હતી અને અંતે પોલીસને બોલાવી પડી હતી, પોલીસે સમગ્ર મામલાની તપાસ કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો, અને સઘન તપાસ હાથ ધરી છે, પોલીસે હાલ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.