Not Set/ સવર્ણ વર્ગના લોકોને આ શરતોની મર્યાદામાં મળશે આરક્ષણ

નવી દિલ્હી: મોદી સરકારની કેબિનેટે સોમવારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા હવે આર્થિક રીતે પછાત હોય તેવા સવર્ણોને સરકારી નોકરી અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 10 ટકા આરક્ષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશના કરોડો સવર્ણ લોકોને લાભ મળશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયની મુખ્ય  શરતો અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે. […]

Top Stories India Trending Politics
Narendra Modi 1 સવર્ણ વર્ગના લોકોને આ શરતોની મર્યાદામાં મળશે આરક્ષણ

નવી દિલ્હી: મોદી સરકારની કેબિનેટે સોમવારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા હવે આર્થિક રીતે પછાત હોય તેવા સવર્ણોને સરકારી નોકરી અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 10 ટકા આરક્ષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશના કરોડો સવર્ણ લોકોને લાભ મળશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયની મુખ્ય  શરતો અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારની મુખ્ય શરતોની મર્યાદાઓ 

સરકાર દ્વારા સવર્ણ વર્ગના લોકોને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક શરતોની મર્યાદા આ અનામત આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

  1. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં ગરીબ સવર્ણોને 10 ટકા આરક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ આર્થિક રીતથી નબળા લોકો આરક્ષણ આપવામાં આવશે.
  2. આ આરક્ષણની ફોર્મ્યૂલા 50 ટકા + 10 ટકા હશે. આ અંગે સૂત્રોનું કહેવું છે કે લોકસભામાં મંગળવારે મોદી સરકાર આર્થિક રીતથી પછાત સવર્ણોને આરક્ષણ આપવા બિલ રજૂ કરી શકે છે.
  3. કેન્દ્રીય સમાજિક ન્યાય રાજ્ય મંત્રી વિજય સાંપલાના અનુસાર જે લોકોની વર્ષની આવક 8 લાખથી ઓછી હશે તેમને આરક્ષણનો લાભ મળશે.
  4. જે સવર્ણોની પાસે ખેતી માટે 5 હેક્ટરથી ઓછી જમીન સંપત્તિ હશે તેમને આરક્ષણનો લાભ મળશે.
  5. આ આરક્ષણનો લાભ તે સવર્ણ મેળવી શકશે જેમની પાસે નિવાસી જમીન 1000 ચોરસ ફુટથી ઓછી હશે.
  6. જે સવર્ણોની પાસે સૂચિત મ્યુનિસિપલ વિસ્તારમાં 100 યાર્ડ કરતા ઓછી જમીન છે તેમને આ આરક્ષણનો લાભ મળશે.
  7. આ ઉપરાંત જે સવર્ણોની પાસે બિન-સૂચિત મ્યુનિસિપલ વિસ્તારમાં 200 યાર્ડથી ઓછી જમીન છે તેમને આ આરક્ષણનો લાભ મળી શકશે.
  8. સૂત્રોએ એમ પણ કહ્યું છે કે સરકાર બંધારણમાં સુધારો કરવા માટે બિલ પસાર કરી શકે છે. તેના માટે બંધારણની કલમ 15 અને 16 માં સુધારણા કરવામાં આવશે.