પોરબંદરનાં અરબી સમુદ્રમાં 19 બોટમાંથી 3 બોટે જળસમાધી લીધી હતી, આ બનાવની જાણ થતા કોસ્ટ ગાર્ડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમા 8 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે 6 વ્યક્તિનાં મોત થયા હતા. મળી રહેલી માહિતી મુજબ બે બોટ અને 10 માછી મારો હજુ પણ લાપતા હોવાનુ સામે આવી રહ્યુ છે. ઉપરાંત તમામ બોટ પોરબંદર પરત થવાના રવાના થઇ છે. આ સાથે તમામ માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. 15મી ઓગષ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
જુઓ ખાસ અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.