રોજ સ્નાન કરવાથી શરીર ખૂબ તાજો અનુભવ કરે છે. ન્હાવાથી શરીરના બેક્ટેરિયા તો દૂર થાય છે જ, સાથે સાથે વ્યક્તિને તાજગીનો અનુભવ થાય છે. આયુર્વેદમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યું છે. ન્હાવાથી શરીરની શક્તિ વધે છે અને આળસ મટે છે. ઘણી વાર ન્હાયા પછી પણ તમને તાજગી નથી આવતી અને આળસ આવે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવવાથી તમને સારું લાગશે.
સૌથી પહેલા શરીરના આ ભાગમાં પાણી નાખો
ન્હાતા સમયે મોટાભાગના લોકો પહેલા માથા પર પાણી રેડતા હોય છે. આમ કરવાથી મગજની ચેતાને નુકસાન થાય છે. તેથી સ્નાન કરતી વખતે, સૌ પ્રથમ પગ પર પાણી રેડવું. આમ કરવાથી, તમે પાણીનું તાપમાન જાણી શકશો. આ સિવાય જો તમે સ્ટ્રેથી પરેશાન તો માથું નમાવી લો અને પહેલા ગળાના પાછળના ભાગ પર પાણી રેડવું. ત્યારબાદ આખા શરીર પર પાણી રેડવું. આમ કરવાથી તણાવ અને પીડાથી રાહત મળે છે.
આ પાંચ ચીજનું સેવન કર્યા બાદ ક્યારેય પાણી પીવું ન જોઇએ, થાય છે આ નુકસાન
મોટાભાગના લોકો દિવસના કોઈપણ સમયે સ્નાન કરે છે. જો તમે પણ કંઇક આવું જ કરો છો તો તમારે ખાધા પછી કે નાસ્તો કર્યા પછી ક્યારેય ન્હાવું ન જોઈએ. આયુર્વેદ મુજબ શરીરની ગરમી અથવા પાચન અગ્નિથી પચે છે. ન્હાવાથી તેની અસર થાય છે અને ખોરાક પચવામાં સમર્થ રહેતો નથી.