સુરત,
બોર્ડની પરીક્ષાના દિવસે રાંદેર વિસ્તારમાં વાલીઓ શાળામાં તોડફોડ થઇ. પ્રભાત તારા સ્કૂલની માન્યતા રદ્દ કરવામાં આવતા સ્કૂલના 54 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાથી વંચિત થયા છે.
તેઓને પરીક્ષા હૉલ ટીકીટ ન મળતા 24 કલાકથી રજુઆત કરી રહ્યા છે પરંતુ યોગ્ય નિકાલ ન આવતા વાલીઓ ઉશ્કેરાઇ જતા વહેલી સવારે શાળા પહોંચ્યા હતા અને શાળામાં તોડફોડ કરી હતી.
પ્રભાત તારા સ્કીલની માન્યતા બોર્ડ રદ કરતાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપી શક્યા નથી.જો કે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા વિરોધના વિવાદ બાદ સ્કૂલમાં સંચાલકોએ તાળા લગાવી દીધી.
જ્યારે અન્ય વર્ગના વિદ્યાર્થીઓને પણ સ્કૂલની બહાર ઉભા રાખવામાં આવ્યાં. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં શિક્ષણ વિભાગે સ્કૂલની માન્યતા રદ્દ કરી હતી.
આ અંગે સ્કૂલના સંચાલકોએ વાલીઓને અંધારામાં રાખ્યા હતા. ડીઇઓએ સ્કૂલ વિરુધ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરી છે. આમ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કે આ અંગે શિક્ષણ વિભાગ શું કરશે કાર્યવાહી? વાલીઓનું કહેવું છે કે સમગ્ર ઘટનામાં સરકાર જવાબદાર છે. જો સરકાર અગાઉ પગલું ભર્યું હોત તો આજે તેમના બાકોના ભવિષ્ય સામે.અંધકાર ન આવ્યું હોત…