નવી દિલ્હીઃ ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. અરજદારો, જેઓ ઇલેક્ટોરલ બોન્ડ્સ પર પ્રતિબંધ મૂકવા અને તેમને સંબંધિત માહિતીને સાર્વજનિક કરવા માટે કાનૂની લડાઈ લડી રહ્યા છે, તેમણે શુક્રવારે (22 માર્ચ) કહ્યું કે તેઓ CBI, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને આવકવેરા વિભાગ (IT) દ્વારા તપાસનો સામનો કરી રહ્યા છે. 41 કંપનીઓએ ભારતીય જનતા પાર્ટી (BJP)ને ચૂંટણી બોન્ડ દ્વારા રૂ. 2,471 કરોડ આપ્યા હતા અને તેમાંથી રૂ. 1,698 કરોડ આ એજન્સીઓના દરોડા પછી આપવામાં આવ્યા હતા.
એક પ્રેસ કોન્ફરન્સમાં અરજદારોના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે ઓછામાં ઓછી 30 નકલી કંપનીઓએ 143 કરોડ રૂપિયાથી વધુના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદીને ભાજપને દાન આપ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી 172 મોટા કોન્ટ્રાક્ટ અને પ્રોજેક્ટ મેળવનાર 33 કંપનીઓએ પણ ચૂંટણી બોન્ડ દ્વારા દાન આપ્યું છે. પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે ચૂંટણી બોન્ડ દ્વારા ભાજપને 1751 કરોડ રૂપિયાનું દાન આપનારી આ 33 કંપનીઓને સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રોજેક્ટ્સ અને કોન્ટ્રાક્ટમાંથી કુલ 3.7 લાખ કરોડ રૂપિયા મળ્યા છે.
ભાજપ ચાર કેટેગરીમાં ભ્રષ્ટાચાર કરી રહી છે
પ્રશાંત ભૂષણે દાવો કર્યો હતો કે કલ્પતરુ ગ્રૂપે ગયા વર્ષે 3 ઓગસ્ટના રોજ IT વિભાગના દરોડાના ત્રણ મહિનામાં ભાજપને 5.5 કરોડ રૂપિયા આપ્યા હતા. ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને સ્વતંત્ર ભારતનું સૌથી મોટું કૌભાંડ ગણાવતા તેમણે આરોપ લગાવ્યો કે તેના દ્વારા ચાર કેટેગરીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો.તેમણે કહ્યું, “પ્રથમ છે – દાન કરો, બિઝનેસ લો. બીજી હાફતા-વસુલી (ખંડણી), ત્રીજી છે કોન્ટ્રાક્ટ લેવી, લાંચ આપવી અને ચોથું નકલી કંપની છે.
‘ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા થયેલા ભ્રષ્ટાચારની તપાસ માટે SITની રચના કરવી જોઇએ’
આ મામલામાં અરજદાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ અંજલિ ભારદ્વાજે સ્વતંત્ર તપાસની માંગ કરી છે. તેણે કહ્યું, “તપાસ કરનારની તપાસ કોણ કરશે? ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારની તપાસ માટે એક સ્વતંત્ર એસઆઈટીની રચના થવી જોઈએ.
આ પણ વાંચો:મોબાઈલ વાપરતા યુવકનું મોત, આ એક ભૂલ કરોડો લોકોને કરે છે સતર્ક
આ પણ વાંચો:અલગતાવાદી શબ્બીર અહેમદ સાથે પુત્રીએ તોડ્યો નાતો, કહ્યું- હું ભારતની છું
આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની કારને થયો જોરદાર અકસ્માત, કન્ટેનર સાથે અથડાઈ