રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અયોધ્યાની મુલાકાતે છે. આજની તેમની અયોધ્યાની મુલાકાત ખાસ રહેશે. તેઓ રામલલાના દર્શન કરશે ત્યારબાદ સરયૂ પૂજન કર્યા પછી હનુમાન આરતીમાં ભાગ લેશે. જણાવી દઈએ કે અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રથમ વખત અયોધ્યાની મુલાકાત લઈ રહ્યા છે. દેશના પ્રથમ નાગરિક પ્રથમ વખત અયોધ્યાની મુલાકાત દરમ્યાન 4 કલાક રામનગરીમાં પસાર કરશે. કહેવાય છે કે તેમની આ મુલાકાત રાહુલ ગાંધીએ લગાવેલા આક્ષેપનો જવાબ છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દ્રૌપદી મુર્મુ આદિવાસી હોવાથી તેમને રામલલાના અભિષેક પ્રસંગ સમયે દૂર રાખવામાં આવ્યા હતા.
રામલલાના દર્શન કર્યા બાદ રાષ્ટ્રપતિ કુબેર ટીલાના શિવ મંદિરમાં પૂજા પણ કરશે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ શિવલિંગની પૂજા કરી હતી. આ શિવ મંદિર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સુરક્ષિત છે.
રામ મંદિર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ જણાવ્યું કે 1 મેના રોજ રાષ્ટ્રપતિના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સામાન્ય ભક્તો પણ મંદિરમાં પૂજા કરતા રહેશે. રાષ્ટ્રપતિના આગમનને કારણે સામાન્ય લોકોને કોઈ અગવડતા ન પડે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અયોધ્યા ડિવિઝનલ કમિશનર ગૌરવ દયાલે કહ્યું કે રાષ્ટ્રપતિના કાફલાની અવિરત અવરજવર સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિકમાં ફેરફાર અને વ્યવસ્થા કરવામાં આવશે.
રાષ્ટ્રપતિની અયોધ્યા મુલાકાત વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદન પર વિવાદ થયો છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને શ્રી રામ મંદિરના અભિષેક માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું કારણ કે તેઓ આદિવાસી હતા. હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. તેમણે રાહુલ ગાંધીના નિવેદનને ખોટુ ગણાવ્યું છે. ચંપત રાયે કહ્યું, હું રાહુલ ગાંધીને યાદ અપાવવા માંગુ છું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રામ લલ્લાના નૂતન દેવતાના અભિષેક માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
દ્રૌપદી મુર્મુની મુલાકાત પહેલા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અયોધ્યા પહોંચ્યા હતા અને રામ લાલાના દર્શન કર્યા હતા. વિડીયો જુઓ. ચૂંટણી પ્રચાર માટે બસ્તી જઈ રહ્યા હતા ત્યારે અનુરાગ ઠાકુર અયોધ્યા આવ્યા અને રામલલાના આશીર્વાદ લીધા.
આ પણ વાંચો:બ્લેકમેલ કરી યુવતી પર બળાત્કાર ગુજાર્યો, મંગેતરને અશ્લીલ વીડિયો મોકલી તોડાવ્યા યુવતીના લગ્ન
આ પણ વાંચો:ટી-20 વર્લ્ડ કપ માટે રોહિતની કેપ્ટન્સી હેઠળ ટીમ ઇન્ડિયાનું એલાન, પંતનું પુનરાગમન