આસામમાં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. જેના કારણે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે આસામના સાધારુમાં ચાના બગીચાના કર્મચારીઓની સાથે ચા પત્તીઓ તોડી.
પ્રિયંકા ગાંધીએ ચાના બગીચામાં મજૂરો સાથે ચા પત્તીઓ તોડી અને કહ્યું- હું તેમના તરફથી મળેલો પ્રેમ નહીં ભૂલું.
કોંગ્રેસે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર તેના ફોટા શેર કર્યા છે. પ્રિયંકા ગાંધીના આસામ પ્રવાસનો આ બીજો દિવસ છે.
ચૂંટણીના પ્રચાર માટે આવેલી પ્રિયંકા ગાંધીએ આજે સદરુ ટી એસ્ટેટમાં મહિલા મજૂરો સાથે વાતચીત પણ કરી. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે ચાના બગીચાના કામદારોનું જીવન સત્ય અને સાદગીથી ભરેલું છે અને તેમનો શ્રમ દેશ માટે અતિ મૂલ્યવાન છે.
પ્રિયંકાએ એમ પણ કહ્યું કે, હું ચાના બગીચાના કામદારો સાથે બેસીને તેમના કામ-કાજ, તેમના પરિવારની સમસ્યાઓ અને તેમના જીવનની મુશ્કેલીઓ અનુભવી.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ચાના બગીચાના કામદારોથી મને મળેલો પ્રેમ અને આત્મીયતાને હું ભૂલી નહીં શકું.
આસામની 126 બેઠકો માટે મતદાન ત્રણ તબક્કામાં 27 માર્ચ, 1 એપ્રિલ અને 6 એપ્રિલના રોજ યોજાશે. ચૂંટણીના પરિણામો 2 મે ના રોજ જાહેર કરવામાં આવશે. ગત ચૂંટણીમાં કોંગ્રેસે 122 બેઠકો પર ચૂંટણી લડ્યા હતા અને માત્ર 26 બેઠકો પર કબજો કર્યો હતો.
નાગરિકતા સંશોધન અધિનિયમ (સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ- CAA) ને કોંગ્રેસ પક્ષ તરફથી મુખ્ય એજન્ડા તરીકે વર્ણવવામાં આવશે.
સૂત્રો અનુસાર, અત્યાર સુધી ઉત્તરપ્રદેશમાં સીમિત રહેતી પ્રિયંકા ગાંધી હવે ચૂંટણી પ્રચાર માટે સંપૂર્ણ રીતે મેદાન ઉતરેલ છે અને કેરળ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળની પણ યાત્રા કરશે.
આ પણ વાંચો- સવારમાં ભૂખ્યા પેટે જીરાનું પાણી પીવાથી થતાં ફાયદા
આ પણ વાંચો- સવાર-સવારમાં મીઠાં લીમડાનો રસ પીવાથી મળતો ચોંકાવનારો ફાયદો
આ પણ વાંચો- Damage Liver / લીવર ખરાબ થઈ રહ્યું છે તેના 8 મહત્વના લક્ષણો, ધ્યાનથી સમજશો
આ પણ વાંચો- સ્ત્રીને માસિક આવ્યાના કેટલા દિવસ પછી સહવાસ માણવો યોગ્ય ગણાય?
આ પણ વાંચો- Health Tips / પેટ અને આંતરડાંના લગભગ તમામ રોગોમાં શ્રેષ્ઠ આમલી, આ રીતે કરો ઉપયોગ