તીડથી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન
સર્વેની કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી
૩૩% વધારે નુકસાન હોય તો સર્વે કરીને સહાય
ખેડૂતોમાં આક્રોશ ફેલાયો
પાટણ જિલ્લામાં તીડથી થયેલ નુકસાનનો સર્વે કરવાની કાર્યવાહી હજુ પણ કરવામાં આવી નથી. ત્યારે સરસ્વતી તાલુકાના અજુજા ગામની સીમમાં તીડે પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોચાડયુ હતુ. ખેડૂતે જણાવ્યુ હતુ કે ઘઉં, જીરુ અને વરીયાળીના પાકમાં વ્યાપક નુકસાન થયુ છે.
ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે નિયમ પ્રમાણે ૩૩% વધારે નુકસાન હોય તો સર્વે કરીને સહાય આપવામાં આવશે. પ્રાથમિક રીતે જોતા વધારે નુકસાન થયુ નથી અને સર્વેની સુચના પણ આવી નથી. સરકારના આ નિયમથી ખેડૂતોમાં આક્રોશ ફેલાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.