ઉત્તર ગુજરાતના રાધનપુર ખાતે આજે જીઈબી ના કર્મચારીઓ એ કાળી પટ્ટી ધારણ કરીને કામ કાજ કર્યું હતું. કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ ના મળતો હોય તેના કારણે સમગ્ર ગુજરાતમાં આંદોલન ચાલી રહ્યું છે. અને જેના ભાગ રૂપે આજરોજ રાધનપુર ખાતે જીઈબી ના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી હતી.
કામની સાથે સાથે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે, જો સરકાર તાત્કાલિક ધોરણે જીઈબી ના કર્મચારીઓ ને ન્યાય નહીં આપે તો આવનારી તારીખ 20 11 2019 સુધી કોઈ સરકાર નિર્ણય નહિ લે તો, રાજ્યના તમામ કર્મચારીઓ એટલે કે ગુજરાતના 55 હજાર કર્મચારીઓ સામૂહિક રજા ઉપર ઉતરી જશે તેવી ચીમકી આપી હતી. 14 તારીખે સી.એલ.રજા મુકવામાં આવશે અને તેમ છતાં સરકાર જીઈબી ના કર્મચારીઓ ના પડતર પ્રશ્નોનો નિકાલ નહીં કરે તો આવનારી 20 તારીખ થી સમગ્ર ગુજરાતમાં ૫૫ હજાર કર્મચારીઓ સામૂહિક હડતાળ ઉપર ઉતરી જશે પૂરા ગુજરાતમાં અંધારપટ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.