દેશમાં જેમ જેમ લોકસભાની ચૂંટણીઓ આગળ વધી રહી છે તેમ તેમ પીએમ મોદી વધુ આક્રમક બની રહ્યા છે. ગઈકાલે 21 એપ્રિલે રાજસ્થાનના બાંસવાડામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ 2006માં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા આપવામાં આવેલા નિવેદનનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ દેશમાં લોકોની સંપત્તિ એકઠી કરશે અને મુસ્લિમોમાં વહેંચશે. તેમના આ નિવેદન બાદ રાહુલ ગાંધી સહિત અનેક વિપક્ષી નેતાઓ તેમના પર નિશાન સાધી રહ્યા છે.
પીએમના નિવેદન બાદ રાહુલ ગાંધીએ આજે સવારે ટ્વિટર પર એક ટ્વિટ શેર કરીને કાવ્યાત્મક જુગલબંધી દ્વારા પીએમ મોદી પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે લખ્યું કે દેશમાં બેરોજગારી અને મોંઘવારી ટોચ પર છે અને નરેન્દ્ર મોદી કહે છે કે બધું બરાબર છે. તેમની પાસે મુદ્દાઓથી વાળવા માટે નવી તકનીકો છે, પરંતુ જૂઠાણાના ધંધાના અંત નજીક છે.
कांग्रेस की अर्बन नक्सल सोच की नजर अब मेरी माताओं-बहनों के मंगलसूत्र पर है। क्या ऐसी कांग्रेस पर मेरे परिवारजन कभी भरोसा करेंगे। pic.twitter.com/sdPRObgbha
— Narendra Modi (@narendramodi) April 21, 2024
પીએમએ આ વાત કહી
તમને જણાવી દઈએ કે ગઈકાલે રાજસ્થાનના બાંસવાડામાં રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીનો ઈરાદો આ દેશની મહિલાઓના ઘરેણા એકઠા કરીને મુસ્લિમોમાં વહેંચવાનો છે. તેઓ તમારા ગળામાંથી મંગળસૂત્ર જપ્ત કરશે અને પછી તેને લઘુમતીઓમાં વહેંચી દેશે. પીએમએ કહ્યું કે કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં લખ્યું છે કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો સંપત્તિનું ઓડિટ કરવામાં આવશે. PMએ કહ્યું કે તેમના અગાઉના PM મનમોહન સિંહે કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર માનવામાં આવે છે.
देश में बेरोज़गारी और महंगाई का पीक है,
और नरेंद्र मोदी कहते हैं सब कुछ ठीक है।उनके पास ‘मुद्दों से भटकाने’ की नई-नई तकनीक हैं,
पर झूठ के कारोबार का अंत अब नज़दीक है। pic.twitter.com/NwPj8OuYar— Rahul Gandhi (@RahulGandhi) April 22, 2024
પીએમના નિવેદન અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે વિરોધીઓ પર ખોટા આરોપો લગાવવા એ સંઘ અને ભાજપની તાલીમની વિશેષતા છે. તેમને જે પણ કહ્યું છે, તે સંઘના મૂલ્યોથી મેળવ્યું છે. ખડગેએ કહ્યું કે દેશના 140 કરોડ લોકો તેમની જાળમાં ફસાવાના નથી.
આ પણ વાંચો:હવામાનમાં મિશ્રિત બદલાવ, દેશમાં કેટલાક સ્થાનો પર વરસાદ સાથે હીટવેવની આગાહી
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટમાં 12મી પછી સીધા ત્રણ વર્ષનો LLB કોર્સ કરાવવાની માગ પર આજે સુનાવણી
આ પણ વાંચો:રક્ષા મંત્રી રાજનાથ સિંહ વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીન મુલાકાતમાં સૈનિકો સાથે કરશે સંવાદ