@ચેહરસિંહ વાઘેલા
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉબરી કંબોઈ પાસે બનાસ નદી પર બનાવેલા રેલવે પુલના પીલરો પોલા નીકળતા તેમજ લોખંડના સળિયા દેખાતા અમદાવાદ ડીઆરએમમાં મીડિયાના મિત્રો દ્વારા ધ્યાન દોરી અને આ તમામ હકીકત વિશે જણાવેલ ત્યારે અમદાવાદ સહિત મુંબઈ સુધીના રેલ વિભાગના એન્જિનિયરો જાણ થતા જ ઉંબરી કંબોઇ પુલની તપાસ માટે દોડી આવ્યા હતા અને ગંભીરતા સમજી બે દિવસ તપાસ હાથ ધરી હતી તેમજ હાલમાં માલવાહક ટ્રેનો બંધ કરવામાં આવી હતી તેમજ 20ની સ્પીડમાં ચાર પેસેનજર ટ્રેનો ચાલુ રાખવામાં આવી હતી.
ત્યારે હજુ સુધી આ પુલ બનાવનાર એજન્સીનું નામ રેલવે વિભાગ દ્વારા મીડિયા થી તેમજ અમદાવાદ ખાતે ડી આર એમની ઓફિસે જાણ કરનાર મિડિયા મિત્રોથી પણ હજુ સુધી આ એજન્સીને ગુપ્ત રાખવામાં આવી રહી છે કેમ? હજુ રેલવે વીભાગ દ્વારા કરોડો રૂપિયાના પૂલ માં કરોડોનો ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાક્ટર તેમજ એજન્સીનું નામ હજુ સુધી બહાર લાવવામાં આવતું નથી તેમ જ કયા કયા રેલવે વિભાગના અધિકારીઓ પણ આમાં સંડોવાયેલા છે.
તેમના નામ પણ હજુ જાહેર કરવામાં આવ્યા નથી તો અવો મસ્ત મોટો કરોડો નો ભાસ્ટચર કરનાર લોકોને ક્યાં કારણથી મીડિયાથી અને જનતા થી દૂર રાખવામાં આવી રહ્યા છે આવા ભ્રષ્ટાચારી લોકોને મીડિયા સમક્ષ તેમજ જનતા સમે લાવતા કોઈ રાજકીય કે રેલવે વીભાગ જ પોતે આવા ભ્રષ્ટાચારી લોકોને સારવી રહી છે આવા લોકો ને કેમ હજુ પ્રજા સમક્ષ રેલ્વે વિભાગ લાવી રહી નથી કેમ ? તે મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે ત્યારે મીડિયા રેલવે વિભાગ ને સરકાર પાસે અમારા આ સવાલોના જવાબ માંગે છે.
ઉંબરી કંબોઈ રેલ્વે બ્રિજને લઈને કેટલાક રેલવે વિભાગને સવાલો…
આ બ્રિજને બંધ કરવામાં આવશે કે કેમ ? કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ક્યારે લેવા છે? રેલવે વિભાગના કેટલા અધિકારીઓ આમાં સંડોવાયેલા છે ? તે અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરને મીડિયા સામે રેલ વિભાગ ક્યારે લાવશે ? દોશીતો સામે શું પગલાં લેવાશે ? આ તમામ સવાલોના જવાબ રેલવે વિભાગ ક્યારે આપશે ? રેલવે વિભાગ દોષિતો સામે કડક પગલાં લઈ એફઆઇઆર નોંધાવશે કે કેમ?
આ પણ વાંચો:15મી ઓગષ્ટ પહેલા વલસાડના દરિયામાંથી મળી એવી વસ્તુ કે પોલીસ દોડતી થઇ ગઇ..
આ પણ વાંચો:સુરતમાં ધોળા દિવસે બેંકમાં હથિયાર સાથે ત્રાટકી ગેંગ, ફિલ્મી ઢબે 14 લાખની લૂંટ
આ પણ વાંચો:PM મોદીની ડિગ્રી કેસમાં કેજરીવાલ અને સંજય સિંહને આંચકો, હાઈકોર્ટે રાહતનો કર્યો ઇનકાર
આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત