Not Set/ રજનીકાંતના ચાહકે ચડાવી બકરીની બલી, લોહીથી અન્નાત્થેના પોસ્ટરનો કર્યો અભિષેક

રજનીકાંત ટૂંક સમયમાં ફિલ્મ ‘અન્નાત્થે’માં જોવા મળશે. ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં આ ફિલ્મમાંથી રજનીકાંત…

Trending Entertainment
અન્નાત્થે

સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. ચાહકો તેને ભગવાનની જેમ પૂજે છે અને તેની ફિલ્મોના પોસ્ટરો પર દૂધથી અભિષેક પણ કરે છે. રજનીકાંત ટૂંક સમયમાં ફિલ્મ અન્નાત્થે માં જોવા મળશે. ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં આ ફિલ્મમાંથી રજનીકાંતનો ફર્સ્ટ લુક પોસ્ટર બહાર આવ્યું છે. પરંતુ આ પોસ્ટર સામે આવતા જ કેટલાક પ્રશંસકોએ એવું કૃત્ય કર્યું જે રજનીકાંતને ગુસ્સે થઈ જશે.

આ પણ વાંચો :ટ્રેલર પર ટ્રોલ થયા બાદ નામ બદલાયું, હવે આ ટાઇટલ સાથે ફિલ્મ રાવણ લીલા થશે રિલીઝ

અહેવાલો અનુસાર, રજનીકાંતના એક ચાહક જૂથે ‘અન્નાત્થે’નું પોસ્ટર રિલીઝ થતાં જ બકરીની બલિ આપ્યા બાદ પોસ્ટર પર લોહીથી અભિષેક કર્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તમિલનાડુમાં, રજનીકાંત જેવા દિગ્ગજ અભિનેતાના ચાહકો માટે તેમના મનપસંદ અભિનેતાના કટઆઉટ પર દૂધથઈ અભિષેક કરવો એ સામાન્ય છે, જેને ‘પાલાભિષેકમ’ કહેવામાં આવે છે. આ ભગવાન માટે મંદિરોમાં કરવામાં આવે છે. પરંતુ, બકરીનું લોહી છાંટવાની આવી ઘટના પ્રથમ વખત બની છે.

આ પણ વાંચો :મુશ્કેલીના સમયમાં શહનાઝ ગિલને મળ્યો પિતાનો સપોર્ટ, બનાવ્યું દીકરીના નામનો ટેટૂ

વાયરલ વીડિયોનો ઉલ્લેખ કરતા સુધાકરે એક નિવેદનમાં કહ્યું કે તે માત્ર ખેદજનક જ નથી પણ અત્યંત નિંદનીય પણ છે. તેમણે કહ્યું, “અમે વિનંતી કરીએ છીએ કે કોઈએ આવા જઘન્ય કૃત્યોમાં સામેલ ન થવું જોઈએ.” શિવા દ્વારા નિર્દેશિત ‘અન્નાત્થે’ દિવાળીના અવસર પર 4 નવેમ્બરે રિલીઝ થવાની છે.

આ પહેલા પણ, રજનીકાંતના ચાહકોએ અભિનેતા માટે અલગ અલગ રીતે આદર વ્યક્ત કર્યો છે. ક્યાંક દૂધનો અભિષેક કરવામાં આવ્યો છે, તો  ક્યાંક ફૂલો અને આરતી ઉતારવામાં આવી છે.

આ પણ વાંચો : સંજય દત્તને યાદ આવ્યો ડેબ્યૂ ફિલ્મનો પહેલો શોટ, તમે પણ જાણો આ રમુજી કિસ્સો

આ પણ વાંચો :અભિનવ શુક્લા અને રૂબીના મળ્યા શહનાઝ ગિલની મમ્મીને, જાણો કેવી છે એક્ટ્રેસની હાલત