મુંબઇ,
બોલિવૂડ એક્ટર અનુપમ ખેર અને અક્ષય ખન્ના અભિનીત અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર લખવામાં આવેલા પુસ્તક પર આધારિત ફિલ્મ’ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’નું ટ્રેલર રિલીઝ થયા પછી વિવાદોમા આવી ગઈ છે.
કોંગ્રેસના નવા નેતાઓએ આ ફિલ્મ પર સવાલ કર્યા તો ફિલ્મ અભિનેતા અનુપમ ખેર પોતે શુક્રવારે એ સવાલના વાબમાં કહ્યું હતું કે, “જેટલો તેઓ ફિલ્મનો વિરોધ કરશે એટલું જ ફિલ્મનું પ્રમોશન કરશે”.
મીડિયા સાથે વાતચીતમાં અનુપમ ખેરે કહ્યું, “જેટલો ફિલ્મનો વિરોધ કરે છે તેટલું વધારે, તેઓ આ ફિલ્મનું પ્રમોશન કરશે. ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર પુસ્તક 2014માં જાહેર કરવામાં આવી હતી તે સમયે તેનો વિરોધ થયો ન હતો. તો આ ફિલ્મ ‘પુસ્તક’ પર આધારિત છે.
તેમણે કહ્યું કે, તાજેતરમાં રાહુલ ગાંધીએ એક ટ્વીટ વાચ્યું હતું, જેમાં તેમણે અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત કરી હતી. તેથી મારા અભિપ્રાયમાં તેઓએ લોકોને બોલવું જોઈએ જે ખોટી વસ્તુ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના જીવનના આધારિત ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું ત્યાર પછી, મીડિયાએ આ ફિલ્મ વિશે શુક્રવારે પ્રથમ વખત પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર પ્રશ્ન કર્યો હતો. મીડિયા ગયા.ડૉ. સિંહે આ પ્રશ્નનો જવાબ આપ્યો નહીં અને તે આગળ જતા રહ્યા.
આપને જણાવી દઈએ કે, શુક્રવારે કોંગ્રેસના સ્થાપના દિવસ પર પાર્ટી મુખ્ય મથકમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા માટે મનમોહન સિંહ પહોંચ્યા હતા. આ દરમિયાન તે પોતાની કારમાંથી ઉતર્યા તો ન્યુઝ એજન્સી AINને તેમને પૂછ્યું, ‘તમે જે ફિલ્મ બનાવી છે તેના વિશે તમે શું કહો છો?’ આ પ્રશ્નનો જવાબ આપતા, ડૉ. સિંહ હસ્યા અને જવાબ આપ્યા વગર આગળ વધી ગયા હતા.