આજે સમગ્ર વિશ્વમાં કોરોના એક કાળ બનીને આવ્યો છે. ત્યારે મોટા ભાગનાં દેશોએ લોકડાઉનથી આ મહામારીને પહોંચી વળવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે આ સમયે પણ ઘણી જગ્યાએ માણસનાં રૂપમાં રાક્ષસ પ્રજાતિનાં વ્યક્તિ પોતાની હવસને શાંત કરવા કોઇનો પણ શિકાર કરતા હોય છે. આવી એક ઘટના રાજકોટ જિલ્લાનાં કુવાડવાનાં સાયપર ગામે બની હતી. આપને જણાવી દઇએ કે, રાજકોટ જિલ્લાનાં કુવાડવાના સાયપર ગામે રહેતા એક મહિલાને તેના જ ઘરમાં એક શખ્સે છરીનો ડર બતાવતા પોતાની હવસનો શિકાર બનાવી. આ મામલો હવે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આરોપીને પકડવા માટે ચંક્રો ગતિમાન કર્યા છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, કુવાડવાનાં સાયપર ગામમાં રહેતી એક 30 વર્ષિય મહિલાએ કુવાડવા પોલીસ મથકમાં દિનેશ ગોબરભાઈ કિયાડા વિરુદ્ધ દૂષ્કર્મ ગુજારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પીઆઈ એમ.વી.વાળા સહિતનાં સ્ટાફે આરોપીને દબોચી લેવા કાર્યવાહી શરૂ કરી હતી.
મહિલાએ પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યાં મુજૂબ, મારે બે દીકરી અને એક દીકરો છે. આજથી અઢી માસ પહેલા ગામમાં ભવાઈ નાટકવાળા રમવા આવ્યા હતા ત્યારે રાત્રીનાં સમયે પતિ ભવાઈ રમવા વાળાને જોવા ગયા હતાં તેની સાથે દીકરી અને એક પુત્ર પણ તે જોવા ગયો હતો, વળી તે મહિલા અને તેની એક દીકરી ઘરે જ હતા. દીકરી ઘરમાં સુઇ ગઇ હતી અને મહિલા મકાનની ઓસરીમાં ખાટલા પર સુતી હતી ત્યારે લગભગ રાત્રીનાં 11.30 વાગ્યે ગામમાં રહેતો દિનેશ ગોબર કિયાડા આવી અને મહિલા સાથે બળજબરી કરવા લાગ્યો અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરતાં મહિલાને છરી બતાવી કપડા કાઢી દૂષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ તે ઘરમાં અમુક સમય સુધી રોકાયો હતો અને પછી ત્યાંથી નિકળી ગયો હતો. મહિલાએ તે દરમિયાન કોઇ રાડારાડી કરી નહોતી. આ સમગ્ર ઘટનાથી મહિલા ખૂબ જ ડરી ગઇ હતી અને પછી રાત્રીનાં બે વાગ્યાની આસપાસ પતિ અને બાળકો ઘરે આવ્યા હતા. તે સમયે મહિલાએ તેના પતિને આ બનાવની કોઇ વાત કરી નહોતી.
આ વાતને થોડા દિવસો બાદ એટલે કે 15 મે નાં રોજ બપોરનાં સમયે આ શખ્સ દિનેશ ગોબર કિયાડા એકવાર ફરી તકનો લાભ લેવા આવે છે અને ફરી છરીનો ડર બતાવી ફરી તેની બળજબરી કરતા દુષ્કર્મ ગુજારે છે. બાદમાં તે શખ્સ કહે છે કે જો કોઇને કહીશ તો તને અને તારા પતિને જાનથી મારી નાખીશ. ડરનાં માર્યા જે તે વખતે પતિને આ કોઇપણ જાતની જાણ કરેલ નહોતી. થોડા દિવસ પહેલાં પતિને આ બનાવની જાણ થતા પતિએ પરિવારને આ સમગ્ર મામલે જાણ કરી અને ગામનાં સરપંચને સાથે રાખી કુવાડવા પોલીસ મથકમાં દિનેશ ગોબર કિયાડા વિરુધ્ધ દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, આજે કોરોનાકાળમાં કહેવામાં આવે છે કે ક્રાઇમ ઓછા થઇ ગયા છે પરંતુ ઘણી જગ્યાએ આજે પણ ઘણા એવા બનાવ બને છે જે જલ્દી બહાર આવી શકતા નથી. ઘણીવાર સમાજમાં ઇજ્જત શું રહેશે તો ઘણીવાર કોઇ અન્ય ડરનાં કારણે આવા ક્રાઇમ કરનારાઓને બળ મળતુ રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.