- જસદણની એકલવ્ય સ્કૂલવાનનો અકસ્માત
- અકસ્માતમાં એક વિદ્યાર્થિનીનું નિપજ્યું મોત
- ધો.5ની વિદ્યાર્થિનીનું મોત
- અન્ય 9ને ઈજા
રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તો આજરોજ રાજકોટ ખાતે એક સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક વિધાર્થિનીનું મોત નીપજયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જસદણની એકલવ્ય સ્કૂલવાનનો અકસ્માત થયો હતો. રાજકોટમાં સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એકલવ્ય સ્કૂલમાં અભાયાસ કરતી ધોરણ 5ની વિધાર્થીની નું અકસ્માતમાં મોત થયુ છે. તથા 9 ઈજાગ્રસ્ત થયા છે.
ઉલ્લેખનીય છે કે અકસ્માત સમયે સ્કૂલવનમાં 3 વિદ્યાર્થીઓ સવાર હતા. તેમજ જસદણના આટકોટ હનુમાન ખારચિયા ગામ પાસે અકસ્માત થયો છે.
હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોચી છે. બાળકીની લાશને પીએમ માટે મોકલવામાં આવી છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં ભેગા થઈ ગયા હતા.
સુરત / કોઈ ચહેરા ઉપર એસિડ ફેંકી દેશે તો તું શું કરીશ : પતિની પત્નીને ધમકી