Not Set/ રાજકોટ: અનિલ કપૂરને જોવા લોકોના ટોળા જામ્યા, ફિલ્મ ‘પદ્માવત’ પર આપ્યું આ નિવેદન

રાજકોટમાં એક ખાનગી જવેલરી શોપના ઉદ્ઘાટન માટે આવેલા અભિનેતા અનિલ કપૂરને જોવા માટે રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા. જ્યાં અનિક કપૂરે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ભગવાનને પ્રાથના કરીશ કે, ફિલ્મ પદ્માવત 25 તારીખે રિલીઝ થાય. છેલ્લા કેટલાય સમયથી વિવાદોના વમળમાં ફસાયેલી ફિલ્મ પદ્માવત ને લઈ બૉલીવુડ સુપરસ્ટાર અનિલ કપૂર વહારે આવ્યા છે. સંજય […]

Top Stories
rjt anil. રાજકોટ: અનિલ કપૂરને જોવા લોકોના ટોળા જામ્યા, ફિલ્મ ‘પદ્માવત’ પર આપ્યું આ નિવેદન

રાજકોટમાં એક ખાનગી જવેલરી શોપના ઉદ્ઘાટન માટે આવેલા અભિનેતા અનિલ કપૂરને જોવા માટે રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા. જ્યાં અનિક કપૂરે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ભગવાનને પ્રાથના કરીશ કે, ફિલ્મ પદ્માવત 25 તારીખે રિલીઝ થાય.

છેલ્લા કેટલાય સમયથી વિવાદોના વમળમાં ફસાયેલી ફિલ્મ પદ્માવત ને લઈ બૉલીવુડ સુપરસ્ટાર અનિલ કપૂર વહારે આવ્યા છે. સંજય લીલા ભણસાલી નિર્મિત ફિલ્મનું પહેલા તો નામ બદલવામાં આવ્યું ત્યાર બાદ ચૂંટણી સમયે તેના પર રોક લાગી તો ત્યાર બાદ ગુજરાત સહિત ચાર રાજ્યો એ તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો.

rjtanil1 રાજકોટ: અનિલ કપૂરને જોવા લોકોના ટોળા જામ્યા, ફિલ્મ ‘પદ્માવત’ પર આપ્યું આ નિવેદન

જો કે સુપ્રીમે આ પ્રતિબંધ ને ગેરબંધારણીય ગણાવ્યો હતો. ત્યારે ગઈકાલે અક્ષય કુમાર પણ ફિલ્મ પદ્માવત ની વહારે આવ્યા છે. સૌ કોઈ જાણે છે કે 25 તારીખના રોજ ફિલ્મ પદ્માવત અને પેડમેન એક સાથે બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની હતી. ત્યારે ગઈકાલે અક્ષય કુમાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ફિલ્મ પેડમેન ની રિલીઝ ડેટ તેમણે પાછી ઠેલવી છે.

rjt anil રાજકોટ: અનિલ કપૂરને જોવા લોકોના ટોળા જામ્યા, ફિલ્મ ‘પદ્માવત’ પર આપ્યું આ નિવેદન

અનિલ કપૂરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું ભગવાનને પ્રાથના કરીશ કે ફિલ્મ પદ્માવત 25તારીખના રિલીઝ થાઈ. તો બીજી તરફ સુપરસ્ટાર અનિલ કપૂર ને જોવા રાજકોટ વાસીઓના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તો સાથો સાથ યાજ્ઞિક રોડ એક તબક્કે બંધ કરવાની પણ ફરજ પડી હતી