રાજકોટ,
રાજકોટમાં એક મોટી દુર્ઘટના થતા તળી છે. ઘાસ ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગી હતી આગ કેવી લાગી રીતે લાગી હતી તેનું કારણ અકબંધ છે. આગ લાગવાની ઘટના CNG પંપ પાસે બની હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.પરંતુ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો અને CNG પંપ પાસે લાગેલી આગ પર સમયસર આગ પર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના તળી હતી. પરંતુ આગમાં ટ્રક બળીને ખાખ થઈ હતી.