કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આજે (રવિવારે) ગોવાના INS વિક્રમાદિત્યમાં સુરક્ષા કર્મચારીઓ સાથે યોગ કર્યા હતા. આ દરમિયાન રાજનાથસિંહે વડા પ્રધાન મોદીને શ્રેય આપતા કહ્યું હતું કે યોગને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે, યોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે.
આ સાથે સંરક્ષણ પ્રધાને આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને ઘેરી લીધું હતું. તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવે છે અને ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ આપણી નેવી અને કોસ્ટગાર્ડ સજાગ છે. રાજનાથસિંહે કહ્યું કે આપણે પહેલા જે ભૂલો કરી છે, તે હવે નહીં જ થવા દઈએ. તેમણે કહ્યું કે 26/11 ના હુમલાને ભૂલી નહીં શકીએ. અને પાકિસ્તાનને આવા હુમલો કરવાની હિંમત પણ હવે નહીં જ કરવા દઇશું.
Union Defence Minister Rajnath Singh onboard INS Vikramaditya: We know it very well that Pakistan uses terrorism as a tool to destabilise India. We cannot forget 26/11 and if there was a lapse then it can't be repeated. Our Navy and Coast Guard are always on alert. pic.twitter.com/eucwpPXrZk
— ANI (@ANI) September 29, 2019
આ પણ વાંચો : પડોશી દેશોના આતંકવાદીઓ દરિયાઈ માર્ગે પણ હુમલો કરી શકે છે: રાજનાથ સિંહ
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
