ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ 14’ ના ઘરમાં રાખી સાવંત એન્ટ્રી કરવા જઇ રહી છે. રાખી ઘરની અંદર તેના લગ્ન અને છૂટાછેડાને લગતા ઘણા રહસ્યો પર ખુલીને વાત કરતા જોવા મળશે. આપને જણાવી દઈએ કે, ટીઆરપી અને શોની પબ્લિકસિટી બંને નીચે આવી રહી હતી, નિર્માતાઓએ છ જૂના સ્પર્ધકોને ઘરની અંદર લાવવાનું નક્કી કર્યું હતું જેઓ ટ્રોફી જીતવાની રેસમાં જોડાશે.
રાખી સાવંતે એક ખાનગી માધ્યમને આપેલા ઇન્ટરવ્યુમાં તેના લગ્ન અને છૂટાછેડાને લગતી વસ્તુઓ વિશે વાત કરી હતી. તેને કહ્યું કે, તે પરિણીત છે, પરંતુ આ સમયે તે વચમાં ઉભી છે. રાખી બિગ બોસના ઘરે આ બધી બાબતો જાહેર કરવા જઈ રહી છે.
રાખી કહે છે કે બિગ બોસના ઘરેથી દર્શકો મસાલા અને મનોરંજન મેળવવા જઇ રહ્યા છે. હું લગ્ન વિશે ઘણા રહસ્યો જાહેર કરીશ. ત્યાં ન તો ફોન છે કે ન તો ટીવી, આવી સ્થિતિમાં હું પ્રેક્ષકોને અંગત જીવનથી સંબંધિત વાતો કરતા જોવા મળીશ. ચાહકો જે અધીરાઈથી રાહ જોઈ રહ્યા હતા તે હવે જોઈ અને સાંભળી શકશે.
રાખી આગળ કહે છે કે મારા લગ્ન અધવચ્ચે જ છે. જ્યાં સુધી છૂટાછેડાની વાત છે, ત્યાં સુધી હું માનતી નથી. મારો પતિ કુટિલ છે પણ મારો છે. હું વિશ્વને નિર્ણય કરવા દઈશ કે મારા પતિ જે કુટિલ છે તે મારા માટે યોગ્ય છે કે નહીં.
એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોનાથી નિધન, દેવોલિના ભટ્ટાચાર્જીએ પોસ્ટ શેર કરી આપી માહિતી
ભારતી-હર્ષનો રોમેન્ટિક વીડિયો વાયરલ, એક બીજાને KISS કરતા જોવા મળ્યા
હિના ખાને ટોપલેસ ફોટા કર્યા શેર, સોશિયલ મીડિયા પર થયા વાયરલ
સૈફ અલી ખાને ફિલ્મ આદિપુરુષને લઈને આપેલા નિવેદન પર માંગી માફી, કહ્યું – ‘મને બિલકુલ ખ્યાલ નહતો કે…’
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…