Bollywood/ શું આલિયા ભટ્ટના નવા ઘરમાં તેની સાથે રહે છે રણબીર કપૂર? ફોટો વાયરલ

બોલિવૂડ એક્ટર રણબીર કપૂરનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પેન્ટ અને ટી-શર્ટમાં જોવા મળેલો રણબીર કપૂર અન્ય વ્યક્તિ સાથે પોઝ આપતો જોવા મળે છે.

Entertainment
a 114 શું આલિયા ભટ્ટના નવા ઘરમાં તેની સાથે રહે છે રણબીર કપૂર? ફોટો વાયરલ

બોલિવૂડ એક્ટર રણબીર કપૂરનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પેન્ટ અને ટી-શર્ટમાં જોવા મળેલો રણબીર કપૂર અન્ય વ્યક્તિ સાથે પોઝ આપતો જોવા મળે છે. વિશેષ વાત એ છે કે, બેકગ્રાઉન્ડમાં જે ફોટા દિવાલ પર લટકાતા જોવા મળે છે, તે રિષિ કપૂર, આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટને સ્પોટ કરવામાં આવી રહ્યા છે.

ચાહકો કહે છે કે આ આલિયા ભટ્ટનું નવું ઘર છે, તેની સાથે રણબીર કપૂર રહે છે. આપને જણાવી દઈએ કે આલિયા ભટ્ટે હાલમાં જ રણબીર કપૂરની બિલ્ડિંગમાં એક ફ્લેટ ખરીદ્યો છે, જેની ગૃહ-પ્રવેશ પૂજા તાજેતરમાં કરવામાં આવી હતી.

તાજેતરના રિપોર્ટ પ્રમાણે અભિનેત્રીએ 32 કરોડનું ઘર ખરીદ્યું છે. એપાર્ટમેન્ટ 2460 ચોરસ ફૂટ છે. આ આલિયાનું મકાન બાંદ્રાના વાસ્તુ એપાર્ટમેન્ટમાં છે. આ બિલ્ડિંગમાં સાતમા માળે રણબીર કપૂર રહે છે. ત્યાં જ આલિયાએ પાંચમા માળે એપાર્ટમેન્ટ ખરીદ્યું છે.

બોલિવૂડ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના રિલેશનશિપની ચર્ચા સોશિયલ મીડિયા પર બહોળા પ્રમાણમાં થાય છે. દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફને ડેટ કર્યા પછી આલિયા ભટ્ટ રણબીર રિલેશનશિપમાં છે. આલિયા ભટ્ટે ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. કોરોનાવાયરસ લોકડાઉનમાં પણ અહેવાલો મુજબ આલિયા રણબીર સાથે તેના એપાર્ટમેન્ટમાં રોકાઈ હતી.

એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોનાથી નિધન, દેવોલિના ભટ્ટાચાર્જીએ પોસ્ટ શેર કરી આપી માહિતી

ભારતી-હર્ષનો રોમેન્ટિક વીડિયો વાયરલ, એક બીજાને KISS કરતા જોવા મળ્યા

હિના ખાને ટોપલેસ ફોટા કર્યા શેર, સોશિયલ મીડિયા પર થયા વાયરલ

સૈફ અલી ખાને ફિલ્મ આદિપુરુષને લઈને આપેલા નિવેદન પર માંગી માફી, કહ્યું – ‘મને બિલકુલ ખ્યાલ નહતો કે…’

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…