મંદિર/ રામ જન્મભૂમિ તીર્થસ્થાનને વેટિકન સીટી અને મક્કાની જેમ વિકસાવવામાં આવશે:VHP

વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રવિન્દ્ર નારાયણ સિંહે કહ્યું કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને વેટિકન સિટી અને મક્કાની જેમ વિકસાવવામાં આવશે

Top Stories India
RAMMANDIR રામ જન્મભૂમિ તીર્થસ્થાનને વેટિકન સીટી અને મક્કાની જેમ વિકસાવવામાં આવશે:VHP

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને લઈને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રવિન્દ્ર નારાયણ સિંહે કહ્યું કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને વેટિકન સિટી અને મક્કાની જેમ વિકસાવવામાં આવશે. રવિવારે નાગપુરમાં તેમણે કહ્યું કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર હિન્દુત્વના પ્રતીક તરીકે ઉભરી આવશે. વિશ્વ હિન્દુ જનકલ્યાણ પરિષદના વિદર્ભ પ્રાદેશિક કાર્યાલયના નિર્માણ માટે ભૂમિપૂજન કરવા માટે VHP પ્રમુખ ધંતોલી આવ્યા હતા.

VHP પ્રમુખ રવિન્દ્ર નારાયણ સિંહ રવિવારે નાગપુરમાં હતા. પીટીઆઈના અહેવાલ મુજબ, કાર્યક્રમમાં હાજર સંતો અને વીએચપીના કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે, તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને વેટિકન સિટી (રોમન કેથોલિક ચર્ચનું મુખ્યાલય) અને મક્કા (સૌથી પવિત્ર સ્થળ)ની તર્જ પર વિકસાવવામાં આવશે.

વીએચપીના પદાધિકારીઓ અને સંતોની સભાને  સંબોધતા રવિન્દ્ર નારાયણ સિંહે કહ્યું કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર હિન્દુત્વના પ્રતીક તરીકે ઉભરશે. આ સાથે, તેમણે ભારતમાં ધર્માંતરણના હેતુ માટે વિદેશી ભંડોળ પર કડક કાર્યવાહી કરવા માટે નરેન્દ્ર મોદી સરકારની પણ પ્રશંસા કરી. આ ઉપરાંત તેમણે મુસ્લિમ સમુદાયને રાષ્ટ્રની સેવામાં હિન્દુઓ સાથે હાથ મિલાવવાની અપીલ કરી હતી.

તેમણે કહ્યું કે હિંદુઓ વિચારે છે કે તેમને કંઈ થશે નહીં. આ માનસિકતાને કારણે આપણે પડકારોનો સામનો કરી રહ્યા છીએ. તેમણે ખ્રિસ્તી ઇવેન્જેલિકલ સંસ્થાઓ પર ધર્માંતરણ માટે આદિવાસી વિસ્તારોમાં હોસ્પિટલો અને શાળાઓ ચલાવવાનો આરોપ મૂક્યો હતો. રવિન્દ્ર નારાયણ સિંહે એ પણ માહિતી આપી હતી કે જન કલ્યાણ પરિષદનું આગામી કાર્યાલય પૂર્વ મહારાષ્ટ્રમાં વિદર્ભ પ્રદેશમાં હિંદુઓ માટે વિવિધ કલ્યાણકારી પગલાં શરૂ કરશે.