@ નિકુંજ પટેલ
Rajkot News: રાજકોટમાં એક ચકચારભરી ઘટના સામે આવી છે. જેમાં એક સગીરા સાથે દુષ્કર્મ કરતા તે ગર્ભવતી બની હતી. બીજી તરફ એક ક્લિનીકના ડોક્ટરે આ બાળકને વેચી દેતા બાળ તસ્કરીનો ગુનો નોંધાયો છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ બનાવની વિગત મુજબ રાજકોટમાં રહેતી એક સગીરાની એકલતાનો લાભ લઈને તેને ત્રણ શખ્સોએ તેને રૂમમાં બોલાવી હતી. બાદમાં તેમણે સગીરાને ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેને પગલે આ સગીરા ગર્ભવતી બની હતી.
બીજી તરફ શ્રીજી ક્લિનીકના ડો.રાદડીયાએ બાળકને વેચી દીધું હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.
હાલમાં પોલીસે દુષ્કર્મ અને બાળ તસ્કરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:ભારતીય સેનામાં સામેલ થવા જઈ રહ્યું છે ALH-ધ્રુવ હેલિકોપ્ટર, જાણો તેની વિશેષતા
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે બીજેપીની બીજી યાદી જાહેર, જાણો ગુજરાતમાં કોને મળી તક
આ પણ વાંચો:અક્ષરધામ મંદિર હુમલાના માસ્ટરમાઇન્ડનો 22 વર્ષ બાદ સામે આવ્યો વીડિયો