મહારાષ્ટ્રમાં શિવસેના જે રીતે સંપૂર્ણ બહુમતીનો આંકડો મેળવવાનો દાવો કરી રહી હતી, તે દાવાની સોમવારે સવારે હવા નિકળી ગઇ હતી. રાજ્યપાલ દ્વારા શિવસેનાને સરકારની રચના માટે આપવામાં આવેલ સમય તે સમયની અંદર એનસીપી અને કોંગ્રેસનો ટેકો મેળવવામાં શિવસેના સફળ ન રહી. છેલ્લા સમય સુધી, કોંગ્રેસ સંમતિ આપવા અંગે શંકાસ્પદ રહી હતી, જેના કારણે મહારાષ્ટ્રનાં રાજ્યપાલે એનસીપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ આ બધાની વચ્ચે એક મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે શા માટે કોંગ્રેસે શિવસેનાને સરકાર બનાવવા માટે સમર્થન ન આપ્યું.
એક તરફ જ્યાં શિવસેનાની અંતિમ મુદ્દત પૂરી થઈ રહી છે, બીજી તરફ કોંગ્રેસે છેલ્લી ક્ષણે પાછું પગલું ભર્યું અને કહ્યું કે અમે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. કોંગ્રેસ કાર્યકારી સમિતિએ સોનિયા ગાંધીને મહારાષ્ટ્ર અંગે અંતિમ નિર્ણય લેવાનો અધિકાર આપ્યો હતો. જે બાદ દરેકની નજર સોનિયા ગાંધી પર ટકી હતી. એટલું જ નહીં, એનસીપી પણ કોંગ્રેસ પાર્ટીનાં નિર્ણય પર સંપૂર્ણ નિર્ભર હતી, પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે કોંગ્રેસનાં નિર્ણય પછી જ તેઓ શિવસેના સાથે સરકાર બનાવશે કે કેમ તે અંગે થોડો સ્પષ્ટ અભિપ્રાય મેળવી શકશે. શરદ પવારે કહ્યું કે, જે પણ નિર્ણય લેવામાં આવશે તે કોંગ્રેસ સાથે વાત કર્યા પછી લેવામાં આવશે.
ભાજપ સંપૂર્ણ બહુમતીનાં આંકડાથી દૂર રહ્યા બાદ કોંગ્રેસની કાર્યકારી સમિતિએ તમામ વિકલ્પોની ચર્ચા કરવા બેઠક કરી. સોનિયા ગાંધી શિવસેનાને ટેકો આપવા તૈયાર નહોતી કારણ કે તેમાં પાર્ટીની વિચારધારામાં મોટો ફેરફાર જોવા મળે છે. આ જ કારણ છે કે સોનિયા ગાંધીએ પાર્ટીમાં નેતાઓનાં દબાણ છતાં શિવસેનાને ટેકો આપવા સંમતિ આપી ન હોતી. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે અમે આ અંગે અમારા મહારાષ્ટ્રનાં નેતાઓ સાથે ચર્ચા કરીશું.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોથા નંબર પર રહેલી કોંગ્રેસ પાર્ટી કે જેને હસીનાં પાત્ર ગણવામાં આવી તે આજે સરકાર બનાવવા કે ન બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.