આઇપીએલની શરૂઆતની મેચમાં જ મુંબઇ ઇન્ડિયન્સે હારનો સામનો કરવો પડ્યો છે. રોહિત શર્માએ સ્વીકાર્યું હતું કે પ્રથમ મેચમાં તાલમેળ બેસાડવામાં થોડી તકલીફ પડી હતી.
અગાઉની જેમ જ મુંબઇ ઇન્ડિયન્સે હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઇની ટીમ દિલ્લી કેપિટલ્સે 213 રનનો સ્કોર કર્યો હતો. ત્યાર બાદ મુંબઈની ટીમ ફક્ત 176 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ. જે અંગે સૂકાની રોહિત શર્માએ સ્વીકાર્યુ છે કે પ્રથમ મેચ કોઈ પણ ટીમ માટે પડકારજનક હોય છે. રોહિતે જણાવ્યું હતું કે ટીમમાં ઘણા નવા ખેલાડી હોય છે તેથી પ્રથમ મેચમાં ઘણો પડકાર હોય છે. અમે ઘણી ભૂલ કરી અને તેના કારણે મેચમાં હારનો સામનો કરવો પડ્યો. દિલ્લી કેપિટલ્સના ખેલાડી ઋષભ પંતે ધૂંઆધાર બેટિંગ કરી હતી અને 27 બોલમાં 78 રન કર્યા હતા.
પાંચમાં નંબરે બેટિંગમાં ઉતરેલા ઋષભ પંતે ચોગ્ગા અને સિકસ ફટકારીને મુંબઇના હોશ ઉડાડી દીધા હતા. રોહિતે પણ દિલ્લીની આ જીતનો શ્રેય ઋષભને આપ્યો છે. રોહિતે કહ્યું કે પ્રથમ 10 ઓવરમાં મારી ટીમ સારું રમી રહી હતી પરંતુ પંતના ક્રીઝ પર આવ્યા બાદ મેચની દિશા જ ફેરવાઈ ગઈ. ટીમના નવા ખેલાડી સાથે તાલમેળ બેસતા થોડો સમય લાગશે. અમે અમારી ભૂલો સ્વીકારી છે અને અમે રમતમાં સુધારો કરીશું.