- RSSના સરસંઘચાલક આજે અમદાવાદમાં
- મોહન ભાગવત અમદાવાદની મુલાકાતે
- ગુજરાત યુનિ.ના હોલ ખાતે સેમિનારમાં રહેશે હાજર
- સ્વાધિનતા સે સ્વતંત્રતા કી ઔર વ્યાખ્યાનમાં લેશે ભાગ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે,ત્યારે જુદા જુદા રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત પ્રવાસ ખેડી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ ગુજરાતની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી સક્રિય થયું છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાની સાથે જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના જુદા જુદા રાષ્ટ્રીય પ્રચારકો ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આજે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના સર સંચાલક મોહન ભાગવત આજે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.ગુજરાત યુનિવર્સિટીમાં એક સેમિનારમાં ભાગ લેવા આવવાના છે.સ્વાધિનતા સે સ્વતંત્રતા કી ઐાર વ્યાખ્યાનમાં ભાગ લેશે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના આ પ્રચારકો ગુજરાતના જુદા જુદા વિસ્તારો અને પ્રાંતોમાં ફરી લોકોને પડતી મુશ્કેલીઓ અને સાચી રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવી ભારતીય જનતા પાર્ટીને વિધાનસભાની ચૂંટણીમાં કયા કયા મુદ્દાઓ અને કઈ રણનીતિ સાથે ચૂંટણી રણમેદાનમાં ઉતરવું તે અંગે માર્ગદર્શન સમયાંતરે કરવામાં આવતું હોય છે. તેના જ ભાગરૂપે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના સર સંચાલક મોહન ભાગવત આજે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.