ગ્રીષ્મા હત્યા કેસ જેવી ઘટના/ મારી સાથે પ્રેમ સંબંધ રાખવો છે કે નહીં કહી યુવકનો યુવતી પર હુમલો, હવે આવી છે પીડિતાની હાલત

જામનગરમાં ઘરેથી ટ્યુશન ક્લાસ જતી વિદ્યાર્થીનીના વાહનને આંતરી યુવકે તેના પર હુમલો કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, ટ્યુશન ક્લાસ જતી યુવતીને રસ્તામાં રોકીને અજય સરવૈયા નામના યુવકે યુવતીને કહ્યું મારી સાથે પ્રેમ સંબંધ રાખવો છે કે નહીં કહી યુવકે યુવતી પર હુમલો કર્યો હતો.

Top Stories Gujarat Others
હુમલો

ગુજરાતમાં મહિલા સુરક્ષાની વાતો માત્ર કાગળ પર જ હોય તેવું લાગે છે. રાજ્યમાં દિવસેને દિવસે છેડતી બાળાત્કાર અને હત્યા જેવી ઘટનાનો સતત સામે આવતી રહે છે.ત્યારે આવામાં આવી જ એક ઘટના સામે આવી છે. તેમને લોકોને સુરત ગ્રીષ્મા હત્યા કેસની ઘટના તો યાદ જ હશે. આવી જ ઘટના હવે જામનગરમાં બની છે. જ્યાં ટ્યુશન ક્લાસ જતી યુવતી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, જામનગરમાં ઘરેથી ટ્યુશન ક્લાસ જતી વિદ્યાર્થીનીના વાહનને આંતરી યુવકે તેના પર હુમલો કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, ટ્યુશન ક્લાસ જતી યુવતીને રસ્તામાં રોકીને અજય સરવૈયા નામના યુવકે યુવતીને કહ્યું મારી સાથે પ્રેમ સંબંધ રાખવો છે કે નહીં કહી યુવકે યુવતી પર હુમલો કર્યો હતો. યુવતીને માથા અને કપાળના ભાગે છરી મારી દેતા યુવતીને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.માથાના ભાગે યુવતીને પાંચ ટાંકા આવ્યા છે.

અજય સરવૈયા વિરુદ્ધ સીટી બી ડીવીઝનમાં યુવતીએ પોલીસ ફરિયાદ નોધાવી છે. આ અગાઉ પણ છેડતી કરનાર આરોપી પાસે માફી મંગાવવામાં આવી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

જાણો શું હતો સુરત ગ્રીષ્મા હત્યા કેસ

નોંધનીય છે કે, સુરતના પાસોદરામાં એકતરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં જ ફેનિલ ગોયાણીએ ઘાતકી હત્યા કરી નાંખી હતી. તેને કોર્ટ દ્વારા માત્ર 69 દિવસમાં જ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. અને કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકાર પક્ષ દ્વારા ત્રણ દિવસ સુધી દલીલ કરવામાં આવી હતી. જેમાં આરોપી દ્વારા ઉશ્કેરાટમાં હત્યા કરવામાં આવી હોવાનો ઈનકાર કર્યો હતો. આ સિવાય કોર્ટ દ્વારા 190 પૈકી 105 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને 85 સાક્ષીઓને ડ્રોપ કરાયા હતા.

આ પણ વાંચો:SNK સ્કૂલ આવી વિવાદમાં, ધો.5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સહપાઠીએ કર્યું અભદ્ર વર્તન

આ પણ વાંચો:પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને મળ્યું મોત, હત્યા બાદ લાશ તળાવમાં ફેંકી દેતા ચકચાર

આ પણ વાંચો:પાટણમાં મોટાભાઈના મોતના સમાચાર સાંભળી નાના ભાઈનું પણ પ્રાણ પંખેરુ ઉડી ગયું

આ પણ વાંચો:સુરતમાં વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારમાં જોરદાર પવન સાથે વરસાદ