રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવતે રવિવારે નવરાત્રી મહોત્સવ નિમિત્તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાશ્મીરી હિન્દુ સમુદાયને સંબોધન કર્યું હતું. જમ્મુમાં સંજીવની શારદા કેન્દ્ર દ્વારા 1 થી 3 એપ્રિલ દરમિયાન ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રીજા દિવસે સરસંઘચાલે કાશ્મીર હિન્દુ સમુદાયને સંબોધિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાશ્મીરી હિન્દુ સમુદાયને આ શુભ તહેવાર પર તેમના વતન પરત ફરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે હવે સંકલ્પ પૂરો કરવાનો સમય નજીક છે. આ વખતે તમારે તમારા વતનમાં એવી રીતે જીવવાનું છે કે ફરી કોઈ બરબાદ ન થાય.
તેમણે વધુમાં કહ્યું કે રાજા લલિતાદિત્યના ઈતિહાસની વિગતવાર ચર્ચા કરી. સાથે જ તેમણે ફિલ્મ કાશ્મીર ફાઇલ્સનો ઉલ્લેખ કરતા કહ્યું કે ધીરે ધીરે સત્ય દેશની સામે આવી રહ્યું છે. આ અંગે વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. પરંતુ, સામાન્ય લોકો કાશ્મીરી હિંદુઓની પીડાને સમજી રહ્યા છે અને તેમને કાશ્મીરી હિંદુઓ પ્રત્યે સહાનુભૂતિ છે.