રશિયાનો યુક્રેન પર મોટો આરોપ
ભારતીયોને ખાર કિવમાં હોસ્ટેજ બનાવ્યા
રશિયન આર્મિથી બચવા ભારતીયોને ઢાલ બનાવતું યુક્રેન
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનમાં રહેતા ભારતીયોની પરિસ્થિતી ખરાબ થઇ છે. એકબાજુ સરકાર સતત પ્રયત્નમાં છે કે યુક્રેનમાંથી તમામ ભારતીયો સલામત રીતે દેશ પરત ફરે ત્યારે બીજી બાજુ રશિયાએ યુક્રેન પર મોટો આરોપ લગાવ્યો છે કે યુક્રેનમાં રશિયન આર્મીથી બચવા માટે ભારતીયોને હોસ્ટેજ બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રશિયાએ યુક્રેનમાં હુમલો કરી દેતા હજારો ભારતીય વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા ,તેમને પરત લાવવા માટે ભારત સરકારે કમરકસી હતી અને હજારો વિધાર્થીઓને યુક્રેનમાંથી પરત લાવવા માટે કામગીરી હાથ ધરી છે. તેમાંથી અનેક વિદ્યાર્થિઓ પરત પણ ફર્યા છે પરંતુ હવે સુત્રો દ્ધારા મળીતી માહિતી પ્રમાણે રશિયન આર્મીથી બચવા માટે યુક્રેન ભારતીયોને ઢાલ બનાવે છે.
જો કે આ વાતમાં કેટલુ તથ્ય છે એ તો કહી શકાય નહીં કારણ કે આ આરોપ રશિયા દ્ધારા યુક્રેન પર લગાવવામાં આવ્યો છે.