- રશિયાએ વધુ બે શહેરમાં યુદ્ધવિરામનું કર્યું એલાન
- કીવ અને ખાર્કિવી કરી યુદ્ધવિરામની જાહેરાત
- સુમીમાં યુદ્ધવિરામ થતા ભારતને રાહત
- ફ્રાન્સની મધ્યસ્થી બાદ રશિયાએ કર્યું એલાન
રશિયાએ કિવમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. યુદ્ધવિરામ સામાન્ય લોકોને બહાર કાઢવા માટે કરવામાં આવ્યો છે,રશિયાએ હાલ બે શહેરોમાં યુદ્વવિરામની કરી છે,સામાન્ય નાગરિકોને કાઢવા માટે આ જાહેરાત કરવામાં આવી છે. કિવ અને ખાર્કિવીના નાગરિકોને અગવડતા ન પડે અને ત્યાં રહેલા નાગરિકો સહિત વિદેશના નાગિરકો આસાનીથી બહાર નીકળી જાય તે હેતુથી રશિયાએ કરી છે આ જાહેરાત.
સુમીમાં પણ યુદ્વવિરામ થતાં ભારતને મોટી રાહત મળી છે જેના લીધે આ વિસ્તારમાં ભારતીયો વિધાર્થીઓ ફસાયા છે તે હવે આસાનીથી બહાર નીકળી શકશે અને સ્વદેશ પરત આવી શકશે,ઉલ્લેખનીય છે કે આ યુદ્વ વિરામ ની જાહેરાત રશિયાએ ફ્રાન્સની મધ્યસ્થી બાદ કરી હતી ,ફ્રાન્સ સાથે રશિયાએ વાત કરી હતી અને ત્યારબાદ આ યુદ્વ વિરામની મોટી જાહેરાત કરી હતી.