Sabarkantha News : સાબરકાંઠામાં જાતિનું ખોટું પ્રમાણપત્ર બનાવવા મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિજયનગર મામલતદાર દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ખોટા પ્રમાણપત્રના આધારે સરકારી નોકરી મેળવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
સરકારી નોકરી મેળવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રેલવે પોલીસ કોન્સ્ટેબલ સહિતમાં નોકરી મેળવી હતી. ઉપરાંત સીઆરપીએફ અને લોકરક્ષક દળમાં નોકરી મેળવી હતી. અનુસૂચિત આદિજાતિ વર્ગના ન હોવા છતાં પ્રમાણપત્ર બનાવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
તે સિવાય 2003થી 2012 સમયગાળા દરમિયાન આ ખોટુ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. વિજયનગર પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:જૂનાગઢના મોરબીનો યુવાન હનીટ્રેપનો ભોગ બન્યો
આ પણ વાંચો:યુવકને હનીટ્રેપમાં ફસાવી 22 લાખ પડાવ્યા, કોંગ્રેસી નગરસેવક અને તેના સાગરીતોની પોલીસે કરી અટકાયત
આ પણ વાંચો:સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના પૂર્વ સભ્ય હનીટ્રેપનો ભોગ બન્યાં
