વડોદરા,
વડોદરાનાં મકરપુરા એસટી ડેપોમાં તોડફોડની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ એસટી બસ દ્વારા અકસ્માતને પગલે લોકો ઉશ્કેરાયા હતા અને કાર અને એસટી બસ વચ્ચે અકસ્માતને પગલે આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો.
મકરપુરા ગામ પાસે સવારે આ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં ત્રણ જણાને ગંભીર ઇજા પહોંચી હતી. નારાજ ગ્રામજનોએ મકરપુરા એસટી ડેપોમાં તોડફોડ કરી હતી.
15થી 20 જણાનાં ટોળાં સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે એસટી બસનાં ડ્રાઇવરની પણ અટકાયત કરવામાં આવી હતી..