મંતવ્યબ્રેકિંગ ન્યુઝ..
રાજ્ય માં આવતી કાલ થી બીજા તબક્કા ના વેક્સિનેશન ની કામગીરી નો થશે પ્રારંભ
Ddo ,જિલ્લા કલેકટર, મહાનગર પાલિકા ના કમિશનર અને પોલીસ વડા લેશે વેક્સિન
પોલીસ , મહેસુલ તેમજ ડિઝાસ્ટર વિભાગ ના અધિકારીઓ લેશે વેક્સિન
3.50 લાખ થી વધુ કર્મચારીઓ ને આપવામાં આવશે વેક્સિન
વિશ્વના સૌથી મોટા વેક્સિનેશનનો પ્રારંભ ભારતમાં કરવામાં આવ્યો છે.જે અંતર્ગત સમગ્ર દેશમાં કોરોના કોરોનાકાળમાં જેમણે અથાગ મહેનત કરી છે તેવા આરોગ્ય કર્મીઓને પ્રથમ તબક્કામાં વેક્સીન આપવામાં આવ્યા બાદ રાજ્યભરમાં આવતીકાલથી બીજા તબક્કાની કામગીરીનો થશે પ્રારંભ થશે. Ddo ,જિલ્લા કલેકટર, મહાનગર પાલિકા ના કમિશનર અને પોલીસ વડા વેક્સિન લઈ અને સામાન્ય જનતાને વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરશે.
Mahatama gandhiji / બાપુ કિતને કો દિખતા હૈ ? પૂછો પોતાને…
કોરોનાકાળમાં દિવસ-રાત ફરજ બજાવતા સમગ્ર રાજ્યભરમાં મહાનગરપાલિકાના ફ્રન્ટલાઇન વર્કર્સ અધિકારીઓ, કર્મચારીઓ અને સફાઈ કામદારોને આવતીકાલે તા. 31-1-2021 ના રોજ કોરોના સામેની વેક્સીન આપવામાં આવશે.રાજ્યભરના 3.50 લાખથી વધુ કર્મચારીઓને આવતીકાલે વેક્સિન આપવામાં આવશે. વિશ્વના સૌથી મોટા વેક્સિનેશનનો પ્રારંભ ભારતમાં કરવામાં આવ્યો છે.દેશમાં 24 કલાકમાં 5,71,974 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. આ સાથે દેશમાં કુલ 35,00,027 લોકોને વેક્સિન આપવામાં આવી ચૂકી છે.
Political / પ્રજાસત્તાક દિને જે થયુ તે કેન્દ્ર સરકારની સુનિશ્ચિત ષડયંત્રનું પરિણામ : કપિલ સિબ્બલ
ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં આખા દેશમાં એક સાથે વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આવતી કાલ થી બીજા તબક્કાના વેક્સિનેશન કામગીરીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. પ્રથમ તબક્કામાં સાચા અર્થમાં જે કોરોના વોરિયર્સ કહેવાય છે તેવા મેડીકલ સ્ટાફને વેક્સીન આપી કોરોના સામે લડવાની તાકાત પ્રદાન કરવામાં આવી હતી.આવતીકાલથી બીજા તબક્કાની વેક્સિનેશન કામગીરીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે રાજ્યભરની મહાનગર પાલિકાઓ દ્વારા તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…