દેશની જનતા કોરોનાના કારણે ફરી એક વખત મુશ્કેલીમાં મુકાઈ ચૂકી છે. દેશમાં કોરોનાની બીજી લહેર નિશ્ચિત થઈ ગઈ છે. છે. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે.અહીં 24 કલાકમાં 9,000 થી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાનો આંકડો સતત બીજા દિવસે 15,000ની સપાટીને પાર કરી ગયો છે. ગઇકાલ કરતા કેસમાં ઘટાડો થઈને 16,600 થયો છે. જ્યારે રિકવરી માત્ર 12, 550 છે.મહારાષ્ટ્રમાં સતત કેસ વધવાને લીધે હવે ફરી એકવાર એક્ટિવ કેસની રીતે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંકે આવી ગયું છે.આ ઉપરાંત પાંચ રાજ્યોમાં કેસમાં વધારો જોવા મળ્યો છે.
Ahmedabad / મતગણતરીના દિવસે થઈ હતી ચૂક, કુબેરનગર બેઠક પર ભાજપનાં ગીતાબાની જીત
મહારાષ્ટ્રમાં હવે 59 હજાર જ્યારે કેરળમાં 52000 એક્ટિવ કેસ છે. ઉપરાંત દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ફરી વધીને 1.48 લાખ કેસ સુધી પહોંચી, એક સમયે આ સંખ્યા 1.32 લાખ સુધી ઉતરી ગઈ હતી. દેશમાં મહારાષ્ટ્ર, કેરળ ઉપરાંત હવે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ સતત નવા કેસ વધી રહ્યાં છે. કેન્દ્ર સરકારે પણ મહારાષ્ટ્ર, કેરળ અને તેલંગાણામાં નવો સ્ટ્રેન મળ્યો હોવાની પુષ્ટિ કરી છે.
Rajkot / સૌરાષ્ટ્ર યુનિ. ખાતે વોટરપોલો સ્પર્ધા, દેશભરમાંથી 18 ટીમ સ્પર્ધામાં લેશે ભાગ
દેશમાં કોરોનાથી 1,56,705 લોકોના મોત થયા છે. આ સિવાય બ્રાઝીલમાં 1 કરોડ 3 લાખ 24 હજાર 463, યુકેમાં 41,56,703, રશિયામાં 41,53,75 ફ્રાન્સમાં 37,21,061 સ્પેનમાં 31,21,061 કેસો નોંધાયા છે. બ્રાઝીલમાં કોરોનાથી મોતનો આંકડો 2,49,957 છે જયારે મેકસીકોમાં મોતનો આંકડો 1,82,815નો છે.
Covid-19 / ભારતમાં થઇ શકે છે દુનિયાની પહેલી ‘કોરોના’ની દવાનો આવિષ્કાર
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…